ટ્રાફિક નિયમનનું પાલન કરનારા નાગરિકોને નવરાત્રી મહોત્સવના વિના મૂલ્યે પાસનું વિતરણ કરાયું
જામનગર શહેરમાં ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક અવેરનેસ અંગેના જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે ટ્રાફિક નિયમનનું પાલન કરનારા નાગરિકોનું સન્માન કરવાના ભાગરૂપે નવરાત્રી મહોત્સવ ના વિના મૂલ્યે પાસનું વિતરણ કરવામાં આવ્યું હતું.
તારીખ ૨૬.૯.૨૪ ના રોજ જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખાના ઈન્ચાર્જ પો.ઈ. આર. એલ.કંડોરીયા અને તેમના પોલીસ સ્ટાફ દ્વારા તેમજ હંસ ટેક્નોલોજી ઇન્ટરનેશનલના હાર્દિકભાઈ ઘેડિયા, કેયુરભાઈ ધોકિયા, રેડિયો જોકી મિલનભાઈ પાણખાણીયા અને તેમના સહયોગીઓ દ્વારા જામનગર શહેરના વિવિધ માર્ગો પર ટ્રાફિકના નિયમોનુ પાલન કરતા વાહનચાલકોને થનગનાટ વેલકમ નવરાત્રી મહોત્સવના પાસનુ વિતરણ કરવામા આવ્યુ હતુ. તેમજ આવતીકાલે પણ ટ્રાફિકના નિયમોનુ પાલન કરતા વાહનચાલકોને નવરાત્રિના પાસનુ વિતરણ કરવામા આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાખીના 1 મીમી મગજમાં હોય છે 1.39 લાખથી વધુ ન્યુરોન્સ
October 05, 2024 10:59 AMપાંચ રાજ્યોના 22 સ્થળોએ જૈશ-એ-મોહમ્મદના શંકાસ્પદ ઠેકાણાઓ પર એનઆઈએની ટીમો ત્રાટકી
October 05, 2024 10:58 AMઆવતા વર્ષે માર્ચમાં લેવાનારી કેટની પરીક્ષાનું જાહેરનામું શિક્ષણ વિભાગે પ્રસિધ્ધ કયુ
October 05, 2024 10:57 AMદ્વારકામાં જુના મનદુઃખનો ખાર રાખી નવ શખ્સો દ્વારા પાઈપ-ધોકા વડે હુમલો
October 05, 2024 10:56 AMમાંડાસણમાં આંગણવાડી મહિલા કાર્યકર ઊપર પતિ દ્વારા જીવલેણ હુમલો
October 05, 2024 10:54 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech