વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે ખંભાળિયામાં બે દિવસ યોગ શિબિર યોજાઈ

  • September 18, 2023 11:40 AM 

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 73 મા જન્મદિવસ નિમિત્તે ઉજવણીના ભાગરૂપે ખંભાળિયામાં તારીખ 16 અને 17 ના રોજ બે દિવસ માટે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ખંભાળિયા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કરવામાં આવેલા આ ભવ્ય આયોજનમાં નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સાથે તમામ નગરપાલિકાના સભ્યો, જિલ્લા રમત વિકાસ અધિકારી હીતેશભાઈ પ્રજાપતિ તેમજ રમત ગમત અધિકારી કચેરીના ચૌધરી સહિતના આગેવાનો તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકો અને શહેરના નાગરિકોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના યોગ કોર્ડીનેટર ધનાભા જડિયા, યોગ કોચ લખનભાઈ વારોતરીયા, પતંજલી મહીલા પ્રભારી રેશ્માબેન ગોકાણી,હેતલબેન બારાઈ, રીનાબેન શેખાવત, ખીમભાઈ નકુમ, દિપ્તીબેન પાબારી, અમિત ગોહેલ, સન્ની પુરોહિત વિગેરેએ ખાસ ઉપસ્થિત રહી અને કાર્યક્રમોને સફળ બનાવવામાં મદદરૂપ થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application