જામનગર મહાનગરપાલિકાના વિપક્ષના પૂર્વ નેતાની માલિકીની ટગે કચ્છ નજીકના સમુદ્રમાં જળસમાધિ લીધી

  • October 04, 2023 01:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટગમાં રહેલા બીએસએફના બે જવાનો તેમજ ક્રૂ મેમ્બર સહિત નવ ને સ્થાનિક માછીમારોએ બચાવી લીધા


જામનગર મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષના નેતાની માલિકીની એક્ ટગ કે જેણે શનિવારે રાત્રે કચ્છ નજીકના દરિયામાં જળ સમાધિ લઈ લીધી છે. જે ટગમાં બીએસએફના બે જવાનો તેમજ સાત ક્રુ મેમ્બરો હતા જે તમામ નવને સ્થાનિક વિસ્તારના માછીમારોએ બચાવી લીધા હતા.


આ બનાવની વિગત એવી છે કે જામનગર મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષના નેતા યુસુફભાઈ ખફી કે જેઓની માલિકીની પીબી નંબર ૧૨૬૪ 'નવાબ' નામની ટગ કે જે કચ્છના કોરીક્રિક માં બીએસએફ દ્વારા બાંધકામ ચાલી રહ્યું છે, જે સ્થળે સામાન લઈને જતી હતી.


દરમિયાન પૂનમની રાતે દરીયા માં ખૂબ જ ભરતી હોવાથી કચ્છના  નારાયણ સરોવર નજીકના દરિયામાં ટગમાં પાણી ભરાવા લાગ્યું હતું, અને ધીમે ધીમે ડુબવા લાગી હતી.


દરમિયાન સુરક્ષાના ભાગરૂપે ટગમાં બીએસએફના બે જવાનોને રખાયા હતા, જે જવાનો અને ૭ ક્રુ મેમ્બરો કે જેઓ જીવ બચાવવા માટે દરિયામાં કુદી પડ્યા હતા, અને નારાયણ સરોવર નજીકના દરિયામાં માછીમારોએ તાત્કાલિક અસરથી તમામ નવ લોકોને પોતાની માછીમારી બોટમાં ખેંચી લઈ સલામત રીતે બચાવી લીધા હતા, અને કાંઠે પહોંચાડી દીધા હતા. જેથી કોઈ જાન હાની થઈ ન હતી, પરંતુ પાણી ભરાઈ જવાના કારણે ટગે જળ સમાધિ લઈ લીધી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application