શિવા ગામ ખાતે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા અધ્યક્ષતામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

  • July 03, 2023 12:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સામાજિક વનીકરણ રેન્જ ભાણવડ અને શિવા ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે શિવા ગામ ખાતે પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિ, વન અને પર્યાવરણ અને કલાઇમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાની અધ્યક્ષતામાં વૃક્ષારોપણ અને રોપા વિતરણ કાર્યક્રમ તેમજ શિવા ગામના નવનિર્મિત ગેટનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
આ તકે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, શિવા ગામના દરેક વ્યક્તિ ગામના વિકાસ માટે હંમેશા હાજર રહ્યા છે. ગુજરાત સરકારના ક્લીન ગુજરાત, ગ્રીન ગુજરાતના અભિગમને સાર્થક કરતા આજરોજ  શિવા  ગામમાં ૫ હજાર જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે.
વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, શિવા ગામની આ પહેલને અનુલક્ષીને આજુ બાજુના ગામ પણ વૃક્ષોનું વાવેતર કરીને આપણા વિસ્તારને હરિયાળો બનાવ્યે તેમજ દરેક વ્યક્તિ વૃક્ષ વાવી તેનું જતન કરે તેવી અપીલ કરી હતી.
આ તકે જિલ્લા પંચાયત સદસ્ય કે. ડી. કરમુર, ભાણવડ તાલુકા પંચાયત પ્રમુખ માલદેભાઈ રાવલિયા, શિવા ગ્રામ પંચાયત સરપંચના પ્રતિનિધિશ્રી લખમણભાઈ રાવલિયા, ભાણવડ તાલુકા વિકાસ અધિકારી કે.આર.ચુડાસમા, અગ્રણીઓ સાજણભાઈ રાવલિયા, હમીરભાઇ કનારા, રામશીભાઈ મારું સહિત વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application