બાંગ્લાદેશમાં નવી સરકાર આવ્યા પછીથી હિંદુઓ સુરક્ષિત નથી, દુગર્િ પૂજામાં પણ સતત વિઘ્નો સર્જાઈ રહ્યા છે, અત્યાર સુધીમાં પૂજાના પંડાલોને 35 વખત નિશાન બનાવવામાં આવ્યા હતા. બાંગ્લાદેશ દુગર્િ પૂજા મોહમ્મદ યુનુસના આગમન પછી પણ બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર ચાલુ છે. આ મહિને જ, દેશભરમાં ચાલી રહેલી દુગર્િ પૂજાની ઉજવણી સાથે સંબંધિત લગભગ 35 અપ્રિય ઘટનાઓ પ્રકાશમાં આવી છે, જેના પગલે સત્તર લોકોની ધરપકડ કરવામાં આવી છે. લોકોને દુગર્િ પૂજા આરામથી ઉજવવા પણ દેવામાં આવી રહી નથી. દુગર્િ પૂજાની ઉજવણી દરમિયાન બાંગ્લાદેશના દક્ષિણ-પશ્ચિમ સતખીરા જિલ્લામાં એક હિંદુ મંદિરમાંથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભેટમાં આપેલો હાથથી બનાવેલો સુવર્ણ મુગટ (મુકુટ) ચોરાઈ ગયો હોવાનું સામે આવતા ભારતે ચિંતા વ્યક્ત કરી હતી.
બાંગ્લાદેશમાં માત્ર 8 ટકા હિંદુઓ છે
બાંગ્લાદેશની 170 મિલિયન વસ્તીમાં લઘુમતી હિંદુઓ લગભગ 8 ટકા છે તત્કાલિન વડા પ્રધાન શેખ હસીનાની હકાલપટ્ટી પછી ફાટી નીકળેલી વિદ્યાર્થીઓની આગેવાની હેઠળની હિંસા દરમિયાન હિન્દુઓએ તેમના વ્યવસાયો અને મિલકતોની તોડફોડ અને મંદિરોના વિનાશનો સામનો કરવો પડ્યો હતો. અખબાર ઢાકા ટ્રિબ્યુને પોલીસ મહાનિરીક્ષક (આઈજીપી) મોઈનુલ ઈસ્લામને ટાંકીને જણાવ્યું હતું કે 1 ઓક્ટોબરથી દેશભરમાં ચાલી રહેલી દુગર્િ પૂજાની ઉજવણી સાથે સંબંધિત 35 ઘટનાઓ બની છે, જેના કારણે 11 કેસ નોંધવામાં આવ્યા છે. દેશભરમાં 32,000 થી વધુ પેવેલિયનમાં દુગર્િ પૂજાની ઉજવણી કરવામાં આવી રહી છે.
મુગટની ચોરી બાદ પોલીસ એક્શનમાં
2021માં બાંગ્લાદેશની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ સતખીરાના જેશોરેશ્વરી કાલી મંદિરમાં અર્પણ કરેલો સુવર્ણ મુગટ (મુકુટ) ચોરાઈ ગયો હોવાની વાત બહાર આવ્યા બાદ આઈજીપી મંદિરે દોડી ગયા હતા અને તપાસ શરુ કરી થી. આ ઘટના બાદ ભારતીય હાઈ કમિશને બાંગ્લાદેશ સરકારને મુગટ શોધવા અને ગુનેગારો સામે પગલાં લેવા વિનંતી કરી છે.બીજી તરફ આઈજીપી ઇસ્લામે ખાતરી આપી હતી કે પોલીસ પાસે ઘટનાઓ માટે જવાબદાર લોકોનો રેકોર્ડ છે અને આરોપીઓને કડક સજા કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: રોમાંચક મુકાબલામાં રાજસ્થાનને 11 રને હરાવ્યું, છેલ્લી ઓવરમાં હેઝલવુડે પલ્ટી બાજી
April 24, 2025 11:53 PMરશિયાનો કીવ પર ભીષણ હુમલો, 8ના મોત, 70થી વધુ ઘાયલ
April 24, 2025 11:48 PMભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech