જૂનાગઢ જિલ્લાના પાંચ વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૧૭૪૨ જેટલા નોંધાયેલા પ્રજ્ઞાચક્ષુ મતદારો

  • March 27, 2024 10:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રજ્ઞાચક્ષુ મતદારો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે પણ ચૂંટણી પંચ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવે છે. જૂનાગઢ જિલ્લ ાના પાંચ વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૧૭૪૨ જેટલા દ્રષ્ટિહિન મતદારો નોંધાયેલા છે, આ મતદારોને ઘરે બેઠા મતદાન કરવાની સુવિધા આપવામાં આવશે. સાથે જ આ દ્રષ્ટિહિન મતદાતા મતદાન મથક પર જઈ પણ મત આપી શકશે. આ માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર  અનિલકુમાર રાણાવસિયા દિવ્યાંગ સહિતના મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે જરૂરી દિશાનિર્દેશ આપવાની સાથે સમીક્ષા પણ કરી રહ્યા છે.
બ્રેઈલના જાણકાર હોય તેવા દ્રષ્ટિહિન મતદાર સાથીદારની સહાય વિના મત આપી શકે તે માટે બેલેટ યુનિટ પર દરેક ઉમેદવારના નામ સામેના કેન્ડિડેટ બટન (વાદળી બટન)ની જમણી બાજુએ બ્રેઈલમાં નંબર દર્શાવવામાં આવે છે, આ સુવિધાનો દ્રષ્ટિહિન મતદાર ઉપયોગ કરી શકે તે માટે બ્રેઈલમાં ડમી બેલેટ પેપર તૈયાર કરવામાં આવે છે, જેમાં ઉમેદવારનો ક્રમાંક, ઉમેદવારનું નામ અને પક્ષનું નામ બ્રેઈલમાં છાપવામાં આવે છે. જેની મદદથી દ્રષ્ટિહિન મતદાર પોતાના પસંદગીના ઉમેદવારનો ક્રમાંક જાણી બેલેટ યુનિટ પર બ્રેઈલમાં દર્શાવેલ ઉમેદવારના ક્રમાંક પરથી પોતાના પસંદગીના ઉમેદવારના ક્રમાંકને આધારે મત આપી શકે છે. આમ, બ્રેઈલના જાણકાર હોય તેવા દ્રષ્ટિહિન મતદાર મતદાનની ગુપ્તતા ભંગ થયા વગર મત આપી શકશે.આ માટે મતદાન મથકના ૧૧૦ ટકા લેખે બ્રેઈલ ડમી બેલેટ પેપર તૈયાર કરવામાં આવે છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application