નવી મુંબઈમાં ત્રણ માળની ઈમારત પત્તાના મહેલની માફક ધરાશાયી થઈ ગઈ હતી. જેના કાટમાળ નીચે અનેક લોકો ફસાયા હોવાની આશંકા. છે. ઘટનાની જાણ થતા જ એનડીઆરએફ, પોલીસ અને નગરપાલિકાની ટીમ દોડી ગઈ હતી અને બચાવ કાર્ય શરુ કરી દેવાયું છે.
નવી મુંબઈના શાહબાઝ ગામમાં એક ત્રણ માળની ઈમારત ’ઈન્દિરા નિવાસ’ ધરાશાયી થઈ છે. આ દુર્ઘટનાની જાણકારી મળતા જ એનડીઆરએફ , મુંબઈ પોલીસ, ફાયર વિભાગ અને પાલિકાની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ કાર્ય શરૂ કર્યું.શાહબાઝ ગામ નવી મુંબઈના સીબીડી બેલાપુર વિસ્તારમાં આવેલું છે આ ઈમારત ગ્રાઉન્ડ વત્તા 3 માળની હતી. ફાયર બ્રિગેડે જણાવ્યું કે આ ઘટના આજે વહેલી સવારે 4.35 વાગ્યે બની હતી. આ અકસ્માતમાં બે લોકો દટાયા હોવાની આશંકા છે.તેમજ 2 લોકોને બચાવીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નવી મુંબઈના મ્યુનિસિપલ કમિશનર કૈલાશ શિંદેએ માહિતી આપી છે કે, આ ઈમારત આજે સવારે 5.00 વાગ્યા પહેલા ધરાશાયી થઈ હતી. આ સેક્ટર-19, શાહબાઝ ગામમાં એક +3 બિલ્ડીંગ છે. આ 3 માળની ઈમારતમાંથી 52 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવી લેવાયા છે.જો કે આ ઇમારત પડશે તેવું લાગતા જ લોકો ઘરની બહાર નીકળી ગયા હતા જેથી જાનહાનીની શક્યતા ઓછી છે તેમ સુત્રો એ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ 3 વિટામિનની ઉણપ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, સમયસર રાખો સાવચેતી
May 15, 2025 03:58 PMકમોસમી વરસાદથી ભાવ. જિલ્લામાં થયેલી નુકશાનીનો ખેતીવાડી વિભાગ ક્યાસ કાઢશે
May 15, 2025 03:57 PMઓવરબ્રિજ અને રેલવે ક્રોસિંગ મામલે રજૂઆત થયાના પગલે સાંસદ નિમુબેન સિહોર દોડી ગયા
May 15, 2025 03:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech