મણાર નજીક સોફા બનાવતા ખાડામાં લાગી વિકરાળ આગ

  • April 09, 2024 10:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર જિલ્લાના અલંગ નજીક આવેલા મણાર પાસે ખાડામાં વિકરાળ આગ લાગી હતી. અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ નજીક મણાર ગામની જગ્યામાં ખાડામાં સોફા બનાવવામાં આવતા હતા. જે પ્લોટમાં અચાનક આગ લાગી હતી. આ પ્લોટમાં ફ્રોમ,રૂ,લાકડું સહિતના મટીરીયલમાં આગ લાગતા અચાનક આગ જોતજોતામાં વિકરાળ બની હતી. આગની ઘટનામાં મોટો જથ્થો ખાક થઈ જવા પામ્યો હતો. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ પીપરલા ગામના રહીશ પ્રવીણભાઈ નરભેરામભાઈ બારૈયા મણાર ગામ નજીક જહાજમાંથી નીકળતા મટીરીયલમાંથી નવા સોફા બનાવવાનું મોટું કામ કરે છે. અહીં ગતરોજ સાંજે આશરે પાંચેક વાગ્યા બાદ અચાનક આગ લાગી હતી. જેને હતી. ફોમ,ગાદલા, વોશેબલ રૂ સાહિતમાં આગને લઇ ધુમાડાના ગગન ચુંબી ધુમાડા નીકળવા લાગ્યા હતા. જેને લઈ આગ લાગી હોવાના અનુમાન સાથે લોકો મોટી સંખ્યામાં એકઠા થઈને સામાન બચાવવા થી લઈને આગ ઓલવવાની કામગીરીમાં લાગી ગયા હતા. અલંગના ત્રણ ફાયર વાહનો સહિતનાએ આસપાસના વિસ્તારમાં આગને આગળ વધતા રોકવામાં સફ્ળતા મેળવી હતી. જોકે સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. પરંતુ આગને કારણે લાખોનું નુકશાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application