ભાવનગરના કિશોરનું બારડોલીમાં અચાનક બેશુદ્ધ બન્યા બાદ મોત

  • August 30, 2024 05:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બારડોલીમાં રહેતા  કિશોરનું પોતાના ઘરમાં અચાનક ઢળી પડયા બાદ બેશુદ્ધ હાલતે મોત નીપજ્યું હતું.
મૂળ ભાવનગરના અને હાલ બારડોલીના  ગાંધી રોડ પર રહેતા એભાભાઈ કમાભાઈ પરમારનો પુત્ર વિજાભાઈ (ઉ. વ. ૧૭)પોતાના ઘરે  મોડી રાત્રીના સાડા દસ વાગ્યાની આસપાસ  અચાનક બેશુદ્ધ થતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application