જિલ્લ ા કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અનુસાર તેમજ નિવાસી અધિક કલેકટર શ્રી રાજેશ આલની સીધી દેખરેખ હેઠળ મોજે – ખેરાળી ગામથી ઓમનાથ મહાદેવ મંદિર ઉંબા તથા ખેરાળી થી ઐંબા ગામને જોડતાં સીમતળના રસ્તા પરની પેશકદમી દૂર કરવાની રજૂઆત અન્વયે ખેરાળી ગામના સીમતળના રસ્તા પરની પેશકદમી દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
ખેરાળી ગામથી ઓમનાથ મહાદેવ મંદિર રસ્તા પર તા. ૦૩ ફેબ્રુઆરી થી તા. ૦૪ ફેબ્રુઆરી એમ બે દિવસમાં મામલતદાર (વેરાવળ ગ્રામ્ય)ની ટીમ દ્રારા રેકર્ડ મુજબનો રસ્તો અંદાજિત ૭૦૦ મીટર લંબાઈ તથા ૧૩ થી ૧૫ ફટ જુદી–જુદી જગ્યાએ પહોળાઈ ધરાવતા રસ્તા પર ૦૨ જેસીબી મશીન વડે રસ્તા પરના દબાણ હટાવી રસ્તો ખુલ્લ ો કરવામાં આવ્યો હતો.
ખેરાળી ગામથી ઉંબા ગામને જોડતો રસ્તો કે જેની લંબાઈ આશરે ૧ કિ.મી. તથા તેની રેકર્ડ મુજબ અલગ–અલગ પહોળાઈ ધરાવતા રસ્તા પર તા. ૦૫ ફેબ્રુઆરી થી ફેબ્રુઆરી એમ ત્રણ દિવસમાં ૪ જેસીબી મશીન તેમજ તા. ૦૮ ફેબ્રુઆરી થી ૯ ફેબ્રુઆરી એમ બે દિવસમાં ૧ જેસીબી મશીન તેમજ તા. ૧૦ ફેબ્રુઆરી થી ૧૪ ફેબ્રુઆરી એમ ચાર દિવસમાં ૪ જેસીબી મશીન દ્રારા રસ્તા પરના દબાણ હટાવી રસ્તો રેકર્ડ મુજબનો ખુલ્લ ો કરવામાં આવ્યો હતો.
ખેરાળી ગામના ખાતેદાર શ્રી રાજાભાઈ ખેરની અરજી અન્વયે ખેરાલી ગામના સીમતળનો રસ્તો કે જેની લંબાઈ આશરે ૧૦૦ થી ૧૫૦ મીટર અને પહોળાઈ ૧૪ ફટ થી લઇ ૧૨ ફટ સુધીની છે તે રસ્તા પર તા. ૧૩ ફેબ્રુઆરી થી ૧૪ ફેબ્રુઆરી એમ બે દિવસમાં ૨ જેસીબી મશીન વડે રસ્તા પરના દબાણ હટાવી રસ્તો ખુલ્લ ો કરવામાં આવ્યો હતો. આમ, સમગ્રતયા આશરે . ૨૫ લાખની કિંમતના રસ્તાઓને ખુલ્લ ા કરવામાં આવ્યાં હતાં.
આમ, ખાસ રજિસ્ટરે નોંધાયેલ ખેરાળી ગામના અલગ–અલગ ૩ સીમતળના રસ્તા પરના દબાણો મામલતદાર (વેરાવળ ગ્રામ્ય)ની ટીમ દ્રારા રેકર્ડ મુજબના ખુલ્લ ા કરવામાં આવ્યાં હતાં
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત એસટી બસના ભાડામાં 10% નો વધારો, આજ મધ્યરાત્રિથી નવા દરો લાગુ, આટલા લાખ મુસાફરોને પડશે અસર
March 28, 2025 10:57 PMખેડૂતો માટે ખુશખબર: મકાઈ, બાજરી, જુવાર, રાગીની સીધી ખરીદી, ક્વિન્ટલ દીઠ 300 રૂપિયા બોનસ
March 28, 2025 10:55 PMવિધાનસભામાં મુખ્યમંત્રીના સંબોધનમાં ભાજપના જ 40 ધારાસભ્યો ગેરહાજર, કોંગ્રેસ પણ દૂર રહી
March 28, 2025 10:53 PMમ્યાનમારથી થાઈલેન્ડ સુધી ભૂકંપથી તબાહી, 188ના મોત, 800થી વધુ ઘાયલ
March 28, 2025 10:50 PMસુરત દુષ્કર્મ કેસમાં હાઇકોર્ટે મેડિકલ ગ્રાઉન્ડ પર આસારામને 3 મહિનાના હંગામી જામીન આપ્યા
March 28, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech