કેનેડામાં ભારતીય કોન્સ્યુલેટે સુનિશ્ચિત કોન્સ્યુલર કેમ્પ્સ રદ કરી દીધા છે અને તેના માટે સુરક્ષા એજન્સીઓએ એવું કારણ આગળ ધર્યું છે કે આયોજકો ન્યૂનતમ સુરક્ષા સુરક્ષા પ્રદાન કરવામાં અસમર્થ હોવાથી આ પગલું લેવું પડી રહ્યું છે.
ભારતના કોન્સ્યુલેટ જનરલએ ટોરોન્ટોમાં જણાવ્યું હતું કે કેનેડામાં ભારતીય કોન્સ્યુલેટે લાઇફ સર્ટિફિકેટ ઇશ્યૂ કરવા માટેના સુનિશ્ચિત કોન્સ્યુલર કેમ્પ્ને રદ કયર્િ છે. કેમ્પ આયોજકો લાભાર્થીઓને લઘુત્તમ સુરક્ષા સુરક્ષા પ્રદાન કરવામાં પુરતી વ્યવસ્થા કરી શકી નથી અને સુરક્ષા એજન્સીઓની અસમર્થતાને ધ્યાનમાં રાખીને, કોન્સ્યુલેટે કેટલાક સુનિશ્ચિત કોન્સ્યુલર કેમ્પ્ને રદ કરવાનો નિર્ણય લીધો છે.
ભારતીય કોન્સ્યુલેટે ટોરોન્ટો નજીક બ્રામ્પટનમાં હિન્દી સભા મંદિરની બહાર કોન્સ્યુલર કેમ્પ્નું સહ-આયોજન કર્યું ત્યારે ખાલિસ્તાન તરફી સમર્થકોએ હિંદુ સમુદાયના સભ્યો પર હુમલો કયર્નિા થોડા દિવસો બાદ જ આ જાહેરાત કરવામાં આવી છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કરીને ભારતે ઉચ્ચ સ્તરેથી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.અગાઉ, 2 અને 3 નવેમ્બરના રોજ વેનકુવર અને સરેમાં આયોજિત સમાન શિબિરોને વિક્ષેપિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.જેના પડઘા દિલ્હી સુધી પડ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોવિડ-19: કોરોનાની નવી લહેર! હોંગકોંગથી લઈને સિંગાપોર સુધી ફરી વધ્યા કેસ
May 16, 2025 11:15 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઈ પણ પ્રકારના ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ
May 16, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech