ઉમાકાંત ઉધોગનગરમાં રાત્રીના પૂરપાટ ઝડપે આવેલી કાર દુકાન સાથે અથડાઈ

  • October 07, 2023 04:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ દુર્ઘટના બાદ પુરપાટ ઝડપે વાહન ચલાવનાર વાહનચાલકો સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે. પરંતુ તેમછતાં કેટલાક લોકો માર્ગેાને રેસિંગ ટ્રેક સમજી બેફામપણે વાહન હંકારતા હોય છે. ત્યારે શહેરના ઉમાકાંત ઉધોગનગરમાં રાત્રિના પુરપાટ ઝડપે ધસી આવેલી કાર દુકાન સાથે અથડાઈ હતી.મોડી રાત્રિના આ ઘટના બની હોય કોઈ હાજર ન હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી. જોકે આ મામલે હજુ સુધી પોલીસ દ્રારા કોઈ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું નથી.

જાણવા મળતી વિગતો મુજબ, શહેરના ઉમાકાંત ઉધોગનગરમાં મોડી રાત્રીના પુરપાટ ઝડપે ધસી આવેલી કાર દુકાન સાથે અથડાઈ હતી જેથી દુકાનમાં નુકસાન થયું હતું સાથોસાથ કારમાં પણ આગળના ભાગે નુકસાન થયું હતું. મોડી રાત્રિના બનેલી આ ઘટના અંગે હજુ સુધી પોલીસે કોઈ કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું નથી. બીજી તરફ ઘટનાસ્થળે થતી ચર્ચા મુજબ કાર ચલાવનાર નશાની હાલતમાં હોવાની સ્થાનિકોમાં ચર્ચા થઈ રહી હતી. ત્યારે આ મામલે હવે પોલીસ તપાસ શ કરશે તેવા સંકેતો મળી રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application