ઉના ખાતે વિશિષ્ટ સન્માન સમારોહ સંપન્ન

  • August 07, 2024 05:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉનાના આંગણે  સૌરભ સાહિત્ય વર્તુળ ઉનાના અને બુક ક્લબ દીવના સયુંકત ઉપક્રમે વિશિષ્ટ સન્માન સમારોહ જી.એસ.ટી. કમિશનર જાનીભાઈનો અધ્યક્ષ સને યોજાયો હતો. કૃષિપુત્ર અને  સરસ્વતી હાઈસ્કૂલના અધ્યાપક ડો. ડી.કે.વાજાનું તેમની  બહુમુખી પ્રતિભા વ્યક્તિત્વનું સન્માન સમારોહ યોજાયો હતો. છેલ્લા ત્રીસ વર્ષોની, જેમની અધ્યાપક તરીકેની, ત સામાજિક અને સાંસ્કૃતિક એવમ ધાર્મિક કંઈ અનેક ક્ષેત્રોમા  યેલી સૌષ્ઠવભરી કર્મઠ સેવાઓ માટે  સમાજના બહુવિધ ક્ષેત્રોમાંી પધારેલા આગેવાનો, શ્રેષ્ઠીઓ, તાલુકા-જિલ્લામાંી પધારેલા પદાધિકારીઓએ પુસ્તક-તુલા કરી, સન્માન પત્રો, ભેટ સોગાદો અર્પણ કરી સન્માન કર્યું હતું, કવિ લેખક તરીકેની તેમની સાહિત્ય પ્રતિભાનું પણ સૌ સારસ્વતોએ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.

સમારોહના અધ્યક્ષએ ઉનાનું મોટું ગૌરવ બતાવ્યુ હતું. વાજાના પદર્શક, તેમના ગુ‚ઓ બી,એડ્ કોલેજના નિયામક નરેન્દ્રભાઈ  ગોસ્વામી, રાજુલાના બી એડ્ કોલેજના ત્રિવેદી ઊનાના નગર ગુરુ દેવુભાઈ પુરોહિત, કવિ લેખક રામભાઈ વાળા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન  પ્રકાશભાઈ ટાંક દીવ પ્રદેશના શિક્ષણ  વિભાગના વડા માનસિંગભાઈ બાંભણિયા ત ખૂબ મોટી સંખ્યામાં સાહિત્યપ્રેમીઓ ઉપસ્તિ સૌએ વાજાને બિરદાવ્યા હતા, શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમનું સ્ટેજ સંચાલન સાવરકુંડલાી પધારેલ ધર્મેન્દ્રભાઈ ક્ધયાએ કર્યું હતું, આભાર દર્શન, પ્રોફેસર  રવિભાઈ તન્નાએ કર્યું હતું.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application