કેન્દ્રીય રાજ્યમંત્રી રામદાસ આઠવલેની અધ્યક્ષતા હેઠળ અમદાવાદમાં એનેક્સી હાઉસ ખાતે કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની વિવિધ યોજનાઓના ગુજરાતમાં અમલીકરણ સંદર્ભે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના અધિકારીઓ દ્વારા પ્રી-સ્કોલરશીપ, પોસ્ટ સ્કોલરશીપ, મહિલા વિકાસ, વંચિતોના વિકાસ અંગેના મુદ્દાઓ તેમજ સમાજ સુરક્ષા અને સમાજ કલ્યાણ અંગે પૂર્ણ થયેલ કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું.
આ બેઠકમાં મંત્રી રામદાસ આઠવલે દ્વારા પૂર્ણ થયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી સાથે જ વિકાસલક્ષી વિવિધ યોજનાઓના અમલીકરણ અંગે તેમણે જરૂરી સૂચનો કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વ હેઠળ વિકાસને વેગવંતુ કરવા માટે અધિકારીઓનો સંપૂર્ણ સહકાર મળ્યો છે, અનખ આવનાર સમયમાં પણ મળતો રહેશે, એવો આશાવાદ મંત્રીએ વ્યક્ત કર્યો હતો. આ સમીક્ષા બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઇઝરાયેલમાં અંધાધૂંધ ગોળીબારમાં મહિલાનું મોત, અનેક ઘાયલ
October 06, 2024 08:27 PMIND W vs PAK W: ભારતીય ટીમે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું
October 06, 2024 08:25 PMનરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના સફળ 23 વર્ષ પૂર્ણ
October 06, 2024 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech