ઉપલેટામાં નવરાત્રીની પૂર્વ સંધ્યાએ સ્થાનિક પોલીસ દ્રારા ફત્પટ પેટ્રોલિંગ

  • October 03, 2024 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



શહેરમાં શાંતિપૂર્ણ રીતે નવરાત્રી તહેવારની ઉજવણી થઈ શકે તે માટે નવરાત્રીની પુર્વ સંધ્યાએ સ્થાનીક પોલીસે સમગ્ર શહેરમાં ફત્પટ પેટ્રોલીંગ કરી ગરબા આયોજકોની મીટીંગ બોલાવી હતી.
ગત સાંજે નવરાત્રી અંતર્ગત શહેરના તમામ મુખ્ય માર્ગેા સ્થાનીક પોલીસ દ્રારા ફત્પટ પેટ્રોલીંગ કરી ૪૦ જેટલા ગરબા આયોજકોની મીટીંગ બોલાવી હતી. તેમાં સ્થાનીક પીઆઈ પટેલ દ્રારા જણાવેલ કે, સરકારના નિયમ મુજબ ગરબા કરવાના રહેશે. નવરાત્રી દરમિયાન તમામ ગરબાના સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. કોઈપણ શખસો પીધેલી હાલતમાં ગરબામાં અવરોધ ઉભો કરશે તો આવા શખસોના દાંડીયા બધં થશે અને પોલીસ લોકઅપમાં પોલીસના દાંડીયા શરૂ થશે. આ ઉપરાંત ગરબા આયોજકોને પણ સ્પષ્ટ્ર રીતે જણાવેલ કે, સરકારી અને જાહેરનામાનાની ગાઈડ લાઈન મુજબ ગરબાના આયોજનો કરવા અસામાજીક તત્વોએ પોતાની નવરાત્રી ન બગાડવી હોય તો શાંતિથી પોતાના ઘેર બેસે તેમ કહી આ શખસોને પણ સ્થાનીક પોલીસે જણાવેલ છે. આજ સાંજથી તમામ ગરબા સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application