કોટડા સાંગાણી ખાતે જનસંપર્ક સભા યોજાઈ

  • July 25, 2024 01:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અશોકકુમાર યાદવ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ નાઓ દ્વારા ગેરકાયદેસર વ્યાજ વસુલાત કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અન્વયે જયપાલસિંહ રાઠૌડ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ ગ્રામ્ય નાઓએ નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ ડિવીઝનનાઓને ગોંડલ ડિવીઝન વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનના રહેવાસીઓમાં વ્યાંજકવાદ અંગે જાગૃતી લાવવા તેમજ ગેરકાયદેસર વ્યાજ વસુલાત કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જન-સંપર્ક સભાનુ આયોજન કરાયું હતું.


કે.જી.ઝાલા  નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ ડિવીઝન નાઓએ શાપર (વે.) પોલીસ સ્ટેશનના ઇ.ચા. પો.સબ ઇન્સ. આઇ.ડી.જાડેજા તા પો.સબ ઇન્સ. જી.બી.જાડેજા નાઓને શાપર (વેરાવળ) વિસ્તારમાં જન-સંપર્ક સભાનુ આયોજન કરવા સુચના કરેલ હોય જે અન્વયે જયપાલસિંહ રાઠૌડ  નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ ગ્રામ્ય નાઓની અધ્યક્ષતામાં શાપર (વેરાવળ) ઇન્ડસ્ટ્રીયલ એસોશીએશનના ઓડીટોરીયમ હોલ ખાતે ગોંડલ ડિવીઝનના તમામ પોલીસ સ્ટેશનોના અધિકારી તા શાપર (વે.) ઇન્ડસ્ટ્રીયલ એસોશીએશનના પ્રમુખ કિશોરભાઈ ટીલાળા વિગેરે ઇન્ડસ્ટ્રીયલ એસોશીએશનના હોદ્દેદારો તા ઉધ્યોગપતિઓ હાજર રહ્યા.

ગોંડલ ડિવીઝન વિસ્તારના પોલીસ સ્ટેશનના રહીશોમાં વ્યાજંકવાદ અંગે જાગૃતી લાવવા જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયું. પ્રશ્નો સાંભળી અમુક પ્રશ્નોનો સ્ળ પર નીકાલ કરી અને અમુક પ્રશ્નોનો વહેલી તકે નીકાલ કરવાનુ જણાવી તેમજ ગેરકાયદેસર વ્યાજ વસુલાત કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સામે ચાલી આવવાનુ આહવાન કરી જન-સંપર્ક સભાનુ આયોજન કરવામાં આવેલ હતુ જન-સંપર્ક સભાનુ આયોજન કરવા બદલ પ્રજાજનોએ રાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરીને બિરદાવેલ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application