ગત તારીખ ૨૧-૩-૨૦૨૫ને શુક્રવારના રોજ ઉત્તરપ્રદેશ ના રાજ્યસભા ના સમાજવાદી પાર્ટી ના સાંસદ રામજીલાલ સુમન દ્રારા વિર ક્ષત્રિય શિરોમણી મહારાણા સંગ્રામસિંહજી સિસોદીયા ( મહારાણા સાંગા ) ઉપર જે અપમાનજનક ટીપ્પણી કરવામાં આવી હતી.તેના વિરોધમાં ક્ષત્રિય કરણીસેના પરીવાર ભાવનગર તથા હિન્દુ યુવા સંગઠન ભારત ભાવનગર દ્રારા કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.
ક્ષત્રિય કરણીસેના પરીવાર ગુજરાત પ્રદેશ ના કાર્યકારી અધ્યક્ષ ભવાનીસિંહ મોરી તથા ભાવનગર જીલ્લા અધ્યક્ષ જનકસિંહ ચાવડા તથા શહેર અધ્યક્ષ હઠીસિંહ ખેર અને રાષ્ટ્રીય સોશ્યિલ મિડીયા ટીમના યૌદ્ધા વિજયસિંહ પરમાર તથા સમગ્ર કરણીસેના ટીમ ભાવનગરના હોદ્દેદારો તથા હિન્દુ યુવા સંગઠન ભાવનગર શહેરના પ્રમુખ સંતોષભાઈ અરજાણી તથા સમગ્ર હિન્દુ યુવા સંગઠન ભાવનગર ટીમના ભાઈઓ દ્રારા ઉત્તરપ્રદેશના રાજ્યસભાના સમાજવાદી પાર્ટીના રામજીલાલ સુમનનૂ સાંસદપદ રદ કરવા ભાવનગર કલેક્ટર ને આવેદનપત્ર આપીને ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech