મેઘપર પડાણાના ગુનામાં નાસતો ફરતો શખ્સ પકડાયો

  • February 16, 2024 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરતા એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ બી.એન. ચૌધરીના માર્ગદર્શન મુજબ સ્ટાફના પીએસઆઇ આર.કે. કરમટા, પીએસઆઇ પી.એન. મોરી તથા સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન સ્ટાફના ધર્મેન્દ્રસિંહ જાડેજા, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરીને હકીકત મળેલ આધારે નાસતો ફરતો આરોપી અનિલ ઉર્ફે રોહીત મનસુખ સોલંકી રહે. ખંભાળીયા દલવાડી હોટલ પાછળ, ઝુપડામાં તા. ખંભાળીયા વાળો મેઘપર પોલીસ સ્ટેશનના કલમ ૪૫૭, ૫૧૧, ૧૧૪, ૪૨૭ મુજબના ગુનામા નાસતો ફરતો હોય જે ઝાખર ગામના પાટીયા પાસે ચામુંડા હોટલ પાસે રોડ પરથી મળી આવતા પકડી પાડી હેડ કોન્સ ક્રિપાલસિંહ જાડેજાએ ઇસમ વિરુઘ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application