જામનગરમાં શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલયમાં યોજાઈ વાલી મીટીંગ

  • October 04, 2024 10:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આર્ય સમાજ – જામનગર અંતર્ગત આર્ય વિદ્યાસભા – જામનગર સંચાલિત શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલયમાં ફક્ત શ્રેણી – ૧૦ ની વિદ્યાર્થીનીઓની વાલી મીટીંગ તા.૨૦-૦૯-૨૦૨૪ ને શુક્રવારના રોજ આયોજન કરવાં આવેલ હતું. જેમાં ૨૫૦ ઉપરાંત વાલીઓ હાજર રહ્યા હતા. આર્યસમાજ – જામનગર ના પ્રમુખશ્રી દીપકભાઈ ઠક્કર અને શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલય – જામનગર માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના આચાર્યાશ્રી પ્રફુલ્લાબેન રૂપડીયા દ્વારા વાલીઓને શિષ્યવૃતિ માટે રાશનકાર્ડ E – KYC કરવા,  શિષ્યવૃત્તિ બેંકમાં જમા કરવા માટે અને પરીક્ષાલક્ષી માર્ગદર્શન વગેરે સાંપ્રત સમસ્યાઓથી વાકેફ કરવામાં આવ્યા હતા. શિક્ષિકા બહેનો શ્રી મિન્ટુબેન ચોવટિયા, શ્રી અનિશાબેન નાગર દ્વારા પણ અન્ય શૈક્ષણિક માહિતી આપવામાં આવી અને અંતમાં વલીશ્રીઓના પ્રશ્નોનું પણ નિરાકરણ કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application