જામનગર જીલ્લામાં હોળી-ધુળેટીના પર્વને લઈને અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ બી.એન.ખેર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

  • March 12, 2025 01:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર તા. ૧૨ માર્ચ, આગામી 'હુતાસણી' અને 'ધુળેટી' ના તહેવારોમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે છે. આ તહેવારોને અનુલક્ષીને જામનગર જીલ્લામાં કાયદો- વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈપણ અનિચ્છનિય બનાવ ન બને તેની તકેદારી રાખવા માટે અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ બી.એન.ખેર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. 


જે મુજબ કોઈપણ વ્યક્તિની ઈચ્છા વિરુદ્ધ તેના પર રંગ છાંટવો નહી, કોઈની લાગણી દુભાય તેવા શબ્દો અથવા સૂત્રો પોકારવા કે બોલવા નહી, પત્રિકા, પ્લે કાર્ડ અથવા વિચિત્ર આકૃતિઓ કે વસ્તુઓ તૈયાર કરવી નહી કે તેનો ફેલાવો કરવો નહી. આવી તમામ પ્રવૃતિઓ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ જાહેરનામું સમગ્ર જિલ્લામાં તા.૧૨-૦૩-૨૦૨૫ના સાંજે ૬:૦૦ કલાકથી આગામી તા.૧૪-૦૩-૨૦૨૫ના ૨૪:૦૦કલાક સુધી અમલમાં રહેશે.
​​​​​​​

ઉપરોક્ત જાહેરનામાંનો ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૫(૧) મુજબ ઓછામાં ઓછાં ૪ મહિનાની અને વધુમાં વધુ ૧ વર્ષની કેદની સજા થશે.તેમ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application