રાજકોટમાં ગોંડલ રોડ પર આવેલા કાઠીયાવાડ બાલાશ્રમમાં રાત્રિના પોણા એક વાગ્યા આસપાસ અહીં બાલાશ્રમના ગેટ પાસે આવેલા પારણામાં કોઈ એક દિવસના નવજાત બાળકને મૂકીને ડોરબેલ મારી જતું રહ્યું હતું. બાદમાં આ બાળકને સારવાર માટે ઝનાના હોસ્પિટલ લઈ જતા અહીં ટૂંકી સારવાર બાદ આ માસુમે આંખો મીંચી દીધી હતી. આ અંગે ભકિતનગર પોલીસે અકસ્માત મોત અંગેની એન્ટ્રી દાખલ કરી વિશેષ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ,શહેરના ગોંડલ રોડ પર આવેલા કાઠીયાવાડ બાલાશ્રમમાં ગઈકાલ રાત્રિના પોણા એક વાગ્યા આસપાસ પારણાની ડોરબેલ વાગતાં પાંચેક મિનિટ બાદ બાલાસરમના ગૃહપતિ જોસનાબેન અહીં બહાર આવ્યા હતા અહીં આવી જોતા પારણામાં એક દિવસનો નવજાત બાળક હોય તેને ઓફિસમાં લઈ જઈ તુરતં ૧૦૮ ને જાણ કરી હતી. બાદમાં ૧૦૮ મારફત આ બાળકને સારવાર માટે ઝનાના હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું. અહીં સારવાર બાદ રાત્રીના બે અને ૧૮ કલાકે ફરજ પરના તબીબે આ નવજાત બાળકને મૃત જાહેર કયુ હતું.જેથી આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા ભકિતનગર પોલીસ મથકના પીએસઆઇ પી.એન. ગોહિલે અહીં પહોંચી જરી કાર્યવાહી કરી હતી.હાલ આ મામલે ભકિતનગર પોલીસે અકસ્માત મોત અંગેની નોંધ કરી કાઠીયાવાડ બાલાશ્રમના પારણામાં રાત્રિના નવજાત બાળકને મૂકી જનાર કોણ? તે અંગે તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિલ્હીની મહિલાઓને આ દિવસે મળશે ₹2500! CM રેખા ગુપ્તાએ આતિશીને આપ્યો જવાબ
February 24, 2025 02:29 PMજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMજામનગરમાં સાઈકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
February 24, 2025 01:16 PMહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech