રાજકોટ મહાનગરપાલિકામાંથી સ્વૈચ્છિક રાજીનામું આપી વય મર્યાદા પૂર્ણ થયા પૂર્વે જ નિવૃત થયેલા સિટી એન્જીનિયર અલ્પના મિત્રાના ઘરેથી મહાપાલિકાની ફાઇલો મળ્યાના ચકચારી પ્રકરણમાં મ્યુનિસિપલ કમિશનર સમક્ષ પ્રાથમિક તપાસ રિપોર્ટ રજૂ થતા તેના આધારે અલ્પના મિત્રા તેમજ તેના ઘરે ફાઇલ લઇને જવામાં જે નવ ઇજનેરોના નામ સામે આવ્યા છે તે તમામને નવી નોટિસ ફટકારાશે.
વિશેષમાં મ્યુનિસિપલ કમિશનરએ આજે બપોરે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસ રિપોર્ટ તેમને મળી ગયો છે પરંતુ હજુ તેમણે ઉંડાણપૂર્વક તેનો અભ્યાસ કર્યેા નથી પરંતુ તેના ઉપરથી વધુ જરી માહિતી મેળવવા અલ્પના મિત્રાને તેમજ જે નવ ઇજનેરો ફાઇલ લઇને ગયા હતા તે તમામને નવેસરથી નોટિસ અપાશે. ફાઇલો લઇને ગયેલા નવ ઇજનેરોને શિસ્તભંગનીનોટિસ અપાશે અને હવે તેમની સામે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી શ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે અલ્પના મિત્રા સામે અન્ય ખાતાકીય તપાસો ચાલી રહી હોય તેમના હક્ક હિસ્સા અટકાવીને જ તેમનું રાજીનામું મંજુર કરાયું હતું ત્યારે જો ફાઇલ કાંડની ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરીમાં કઇં પણ ખોટું થયાનું સામે આવશે તો શિક્ષાત્મક કાર્યવાહીના ભાગપે તેમનું પેન્શન પણ અટકી જશે
અલ્પના મિત્રાનું પેન્શન અટકી શકે
મ્યુનિસિપલ કમિશનરએ જણાવ્યું હતું કે અલ્પના મિત્રા હોય કે અન્ય કોઇ પણ સરકારી અધિકારી, ઇજનેર કે કર્મચારી હોય તેમની સામે વય નિવૃત્તિ કે તેમનું રાજીનામુ મંજુર થયા પછી પણ પગલાં લઇ શકાય છે. જો કોઇ મામલે કઇં પણ ખોટું થયાનું સામે આવશે તો મિત્રાનું પેન્શન પણ અટકાવી શકાય છે. અલબત્ત હજુ મામલાની તપાસ ચાલી રહી હોય તુરતં કોઇ નિષ્કર્ષ ઉપર આવી ન શકાય નોટીસનો જવાબ મળ્યા બાદ જ આગળની કાર્યવાહી થશે
આ નવ ઇજનેરો સામે તપાસ
ડેપ્યુટી ઇજનેર કપિલ જોષી
ડેપ્યુટી ઇજનેર દિવ્યેશ ત્રિવેદી
ડેપ્યુટી ઇજનેર વી.એચ.ઉમટ
ડેપ્યુટી ઇજનેર એચ.એમ.ખખ્ખર
એડી.ઇજનેર અશ્વિન કણઝારીયા
આસિ.ઇજનેર રાજેશ રાઠોડ
એએઇ હિરેનસિંહ જાડેજા
એએઇ દેવરાજ મોરી
વર્ક આસિ. અંકિત તળાવીય
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech