પતિ સાથે લઈ ન જતાં ભાણવડમાં પરપ્રાંતિય મહિલાએ ઝેરના પારખા કર્યા

  • April 03, 2024 10:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાણવડથી આશરે 17 કિલોમીટર દૂર જંબુસર વાડી વિસ્તારમાં હાલ રહેતી અને મૂળ મધ્ય પ્રદેશના ખરગોન જિલ્લાના ભગવાનપુરા તાલુકાની વતની સુનીતાબેન રાજુભાઈ સસ્તિયા નામની 26 વર્ષની આદિવાસી મહિલાએ ગત તારીખ 31 મી ના રોજ પોતાના હાથે પાકમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેણીનું મૃત્યુ નિપજ્યું હતું.


મૃતક મહિલાના પતિએ તેણીને પોતાની સાથે તેમના ઘરે લઈ ન જતા આ બાબતે તેણીને મનમાં લાગી આવતા તેણીએ આ પગલું ભર્યું હોવાની જાણ ભાણવડમાં રહેતા કુલસિંહ બડોલે આદિવાસી (ઉ.વ. 55, મૂળ ભગવાનપુરા, હાલ જંબુસર) એ ભાણવડ પોલીસને કરી છે. જે અંગે પોલીસે જરૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application