રાજકોટમાં રૈયા ગામમાં રહેતા આધેડને લોધીકા તાલુકાના કાલંભડી નાધુપીપળીયા ગામ જવાના રસ્તે પિતા-પુત્રએ ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અહીં નાધુપીપળીયા ગામે રહેતા તેના દૂરના સંબંધીને ઉછીના પૈસા આપ્યા હોય જેની ઉઘરાણી કરવા માટે જતા હતા. દરમિયાન રસ્તામાં તેમનો ભેટો થઈ જતા માર માર્યો હતો. આધેડ સાથે રહેલા તેના સાઢુભાઈ સાથે પણ મારકૂટ કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં રૈયા ગામ 100 વારીયા પ્લોટમાં રહેતા દેવજીભાઈ તેજાભાઈ મેરીયા (ઉ.વ 50) દ્વારા લોધિકા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે નાધૂપીપળીયા ગામે રહેતા નરેશ ભુપતભાઈ પરમાર અને તેના પિતા ભુપત પરમારના નામ આપ્યા છે.
આધેડે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમણે પોતાના સાઢુભાઈ રમેશભાઈ પરમારના દૂરના સગા થતા નરેશ પરમારને અગાઉ જમીન બાબતે રૂપિયા આપ્યા હતા જે પરત માંગવા છતાં તે પરત આપતા ન હતો.
ગઈકાલે ફરિયાદી તથા તેમના સાઢુભાઈ બંને નાધુપીપળીયા ગામે નરેશના ઘરે જતા હતા. દરમિયાન રસ્તામાં કાલંભડી અને નાધુપીપળીયાના રસ્તે નરેશ મળી ગયો હતો તેને પૈસા બાબતેનું કહેતા નરેશ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને કહ્યું હતું કે, મારા ગામમાં કેમ આવ્યા? મારી આબરૂમાં ખલેલ પહોંચે તેમ કહી ગાળાગાળી કરવા લાગ્યો હતો. દરમિયાન તેના પિતા ભૂપત પરમાર અહીં આવી જતા તેના હાથમાં લાકડાનું ધોકો હોય તે ધોકા વડે ફરિયાદીને માર મારવા લાગ્યા હતા તેમજ તેના સાઢુને પણ ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ ધમકી આપી હતી કે, ફરીવાર મારા ગામ બાજુ આવશો તો જાનથી મારી નાખીશું. આરોપીઓ દૂરના સગા થતા હોય જેથી પ્રથમ સમાધાનની વાત ચાલતી હતી. પરંતુ સમાધાન ન થતા અંતે આધેડે આ અંગે લોધિકા પોલીસ સ્ટેશનમાં પિતા-પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં લોકોને પાયાની સુવિધા આપવા મનપાનું તંત્ર કટિબધ્ધ
May 15, 2025 02:38 PMબે પત્નીના પરિવારોના ડખ્ખામાં થયેલી હત્યાના બે મહિલા આરોપીની જામીન અરજી નામંજુર
May 15, 2025 02:36 PMયુવાને રાષ્ટ્રીય સ્તરની સોફટબોલ સ્પર્ધામાં કર્યુ ઉત્કૃષ્ટ પ્રદર્શન
May 15, 2025 02:29 PMપોરબંદર જિલ્લામાં વધતુ જતુ ક્ષારનું પ્રમાણ અટકાવવા સરકાર કટિબધ્ધ
May 15, 2025 02:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech