એકને ઇજા : એક બાઇક ચાલક સામે નોંધાવાતી ફરીયાદ
જામજોધપુરના વર્તુ ડેમના પાટીયા પાસેના રોડ પર બે દિવસ પહેલા બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યકિતને ઇજા થતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જયાં આઘેડનું મૃત્યુ નિપજયું છે, આ અંગે એક બાઇકના ચાલક સામે ફરીયાદ કરવામાં આવી હતી.
જામજોધપુર તાલુકાના ઘેલડા ગામમાં રહેતા નાથાભાઇ રાયદેભાઇ શીર (ઉ.વ.૩૮)એ તા. ૪ના રોજ મોટરસાયકલ નં. જીજે૧૦સીકયુ-૪૨૮૪ના ચાલક સામે ફરીયાદ કરી હતી, વિગત મુજબ ફરીયાદીના કાકા અરશીભાઇ તથા ડાહીબેન મોટરસાયકલ નં. જીજે૧૦બીએસ-૫૫૧૫ લઇને તા. ૪ના રોજ ઘેલડાથી ફોટડી ગામ તરફ જતા હતા.
આ વખતે વર્તુ ડેમના પાટીયા નજીક જામનગર-પોરબંદર રોડ પર પહોચતા આરોપી પોતાનું બાઇક નં. જીજે૧૦સીકયુ-૪૨૮૪ લઇને પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવીને અરશીભાઇના બાઇકને ઠોકર મારી હતી, આ અકસ્માતમાં અરશીભાઇને માથામાં ગંભીર ઇજા અને ડાહીબેનને હાથમાં ફ્રેકચર અને કપાળના ભાગે ઇજા પહોચી હતી.
સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જયાં અરશીભાઇનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ હતું, ફરીયાદના આધારે પોલીસ દ્વારા બાઇકચાલકની ધરપકડ કરવા તપાસ લંબાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech