વર્તુ ડેમના પાટીયા પાસે બાઇકની ટકકરમાં આધેડનું મોત

  • June 06, 2023 10:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એકને ઇજા : એક બાઇક ચાલક સામે નોંધાવાતી ફરીયાદ

જામજોધપુરના વર્તુ ડેમના પાટીયા પાસેના રોડ પર બે દિવસ પહેલા બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યકિતને ઇજા થતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જયાં આઘેડનું મૃત્યુ નિપજયું છે, આ અંગે એક બાઇકના ચાલક સામે ફરીયાદ કરવામાં આવી હતી.
જામજોધપુર તાલુકાના ઘેલડા ગામમાં રહેતા નાથાભાઇ રાયદેભાઇ શીર (ઉ.વ.૩૮)એ તા. ૪ના રોજ મોટરસાયકલ નં. જીજે૧૦સીકયુ-૪૨૮૪ના ચાલક સામે ફરીયાદ કરી હતી, વિગત મુજબ ફરીયાદીના કાકા અરશીભાઇ તથા ડાહીબેન મોટરસાયકલ નં. જીજે૧૦બીએસ-૫૫૧૫ લઇને તા. ૪ના રોજ ઘેલડાથી ફોટડી ગામ તરફ જતા હતા.
આ વખતે વર્તુ ડેમના પાટીયા નજીક જામનગર-પોરબંદર રોડ પર પહોચતા આરોપી પોતાનું બાઇક નં. જીજે૧૦સીકયુ-૪૨૮૪ લઇને પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવીને અરશીભાઇના બાઇકને ઠોકર મારી હતી, આ અકસ્માતમાં અરશીભાઇને માથામાં ગંભીર ઇજા અને ડાહીબેનને હાથમાં ફ્રેકચર અને કપાળના ભાગે ઇજા પહોચી હતી.
સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જયાં અરશીભાઇનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ હતું, ફરીયાદના આધારે પોલીસ દ્વારા બાઇકચાલકની ધરપકડ કરવા તપાસ લંબાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application