ભડી ભંડારીયા પાસે કાર અડફેટે આધેડનું મોત

  • December 16, 2023 02:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હજુ થોડા દિવસ પહેલા જ તળાજા હાઇવે પર અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. ત્યાં ફરીથી તળાજા હાઇવે પર અકસ્માતની ઘટના બની હતી. જે ઘટનામાં સરતાનપર ગામના આધેડને ગંભીર ઇજા પહોંચતા સરતાનપર મૃત્યુ થયું હતું. સરતાનપર ગામનાં આધેડને કારના ચાલકે અડફેટે લીધા હતા. અને કારનો ચાલક અકસ્માત કરી પોતાની કાર કોબડી ટોલનાકા પાસે મૂકીને નાસી છૂટ્યો હતો. જે અંગે પોલીસમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.


આ બનાવ અંગે વરતેજ પોલીસ મથક ખાતઠું મળતી માહિતી અનુસાર વરતેજ પોલીસ મથક ખાતે કલ્પેશભાઈ કાબાભાઈ મકવાણા (ઉ.વ. ૨૮, રહે. સરતાનપર)એ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, કાર નંબર જીજે. ૦૫. આરયુ- ૯૩૩૨ના ચાલકે ગઈકાલે સાંજના ૭.૩૦ કલાકના અરસા દરમિયાન તેઓના પિતા કાબાભાઈ સામતભાઈ મકવાણા (ઉ.વ. ૩૨ રહે. સરતાનપર) ભંડારીયા ગામે લગ્ન પ્રસંગ હોય ત્યા હાજરી આપી પરત ઘરે ચાલીને આવી રહ્યા હતા. તે વેળાએ ભડી ગામના પાટીયા પાસે, ટોલનાકા તરફ પહોંચતા ઉક્ત કારના ચાલકે પોતાની કાર પુરપાટ ઝડપે, બેફિકરાઈ પુર્વક અને માણસની જીંદગી જોખમાઈ તેવી રીતે ચલાવી તેઓના પિતાને અડફેટે લઈ ગંભીર ઈજા પહોંચાડતા તાત્કાલીક સારવાર અર્થે ૧૦૮માં ભાવનગર સર.ટી. હોસ્પિટલ ખસેડયા હતા. જ્યા ફરજ પરના ડોકટરે તેઓને તપાસી મૃત જાહેર કર્યા હતા. જ્યારે અકસ્માત સર્જી કારનો ચાલક પોતાની કાર ટોલનાકા પાસે પાર્ક કરી ફરાર બન્યો હતો. ઉક્ત બનવા સંદર્ભે વરતેજ પોલીસે ફરાર કારના ચાલક સામે આઈપીસી. ૨૭૯, ૩૦૪એ, ૩૩૭, ૩૩૮, તેમજ મોટર વાહન અધિનિયમ ૧૭૭, ૧૩૪, ૧૮૪, મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application