જામનગરમાં બિમારીથી પિડીત વૃઘ્ધાનું દાઝી જતા મૃત્યુ
ધ્રોલની વાંકીયા સીમમાં પટેલ આધેડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, મગજની તકલીફના કારણે ગુમસુમ રહેતા હોય દરમ્યાન આ પગલું ભરી લીધુ હતું, બીજા બનાવમાં જામનગરના 80 ફુટ રોડ પુલીયા પાસે રહેતા વૃઘ્ધાને બીપી તથા કમરની બિમારી હોય દરમ્યાન આખા શરીરે ગંભીર રીતે દાઝી જતા મૃત્યુ નિપજયાનું પોલીસમાં જાહેર થયું છે.
જામનગર નજીક જાંબુડા ગામના અને હાલ ધ્રોલની શિવમપાર્ક સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઇ ભવાનભાઇ કાનાણી (ઉ.વ.51) નામના આધેડને છેલ્લા એકાદ મહિનાથી મગજની તકફલીફ હોય, મગજ ઓછો કામ કરતો હોય અને થોડા દિવસથી ગુમસુમ રહેતા હતા.
જેથી તેઓ ગઇકાલે પોતાના કુટુંબી મામાની વાંકીયામાં આવેલી વાડીએ જઇ લીમડાના ઝાડની ડાળીમાં વાયર વડે ગળે ફાંસો ખાઇ લેતા ધ્રોલ સરકારી હોસ્પીટલ ખાતે લઇ જવામાં આવેલ જયાં ફરજ પરના તબીબે તપાસીને મરણગયાનું જણાવ્યુ હતું, આ અંગે ધ્રોલના ગોકુલપાર્કમાં રહેતા અજય ભવાનભાઇ કાનાણીએ ધ્રોલ પોલીસમાં જાહેર કર્યુ હતું.
બીજા બનાવમાં જામનગરના 80 ફુટ રોડ, પુલીયા પાસે આહીર પાડામાં રહેતા રેવીબેન કુંવરજીભાઇ અઘારા (ઉ.વ.84) નામના વૃઘ્ધાને બ્લડ પ્રેશર તથા કમરની બિમારી હોય અને મોટી ઉમરના હોય, ગઇકાલે પોતાના ઘરની બહાર ડેલી પાસે કોઇપણ કારણસર શરીરે દાઝી જતા મૃત્યુ થયુ હતું, આ અંગે આહીર પાડો, પટેલ લાઇન ખાતે રહેતા ધનજીભાઇ અધારા દ્વારા સીટી-સીમાં જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech