રામનવમીની ઉજવણી અંતર્ગત લોહાણા સમાજની એક મીટીંગ

  • April 06, 2024 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી સવંત ર080 ચૈત્ર સુદ - 9 ને બુધવાર, તા.17-04-ર0ર4 ના રોજ ભગવાનશ્રી રામચંજી પ્રાગ્ટય મહોત્સવ આવી રહેલ હોય તે પ્રસંગને ધામધુમથી ઉજવવા તથા તે પ્રસંગે રામનવમીના પારણા અંતર્ગત લોહાણા જ્ઞાતિની નાત (સમુહ ભોજન) નું આયોજન તા.18-04-ર0ર4, ગુરૂવારના રોજ કરવામાં આવેલ છે. જે અંગે લોહાણા સમાજની મીટીંગ તા.07-04-ર0ર4 ને રવિવાર ના રોજ સવારે 11-30 થી 1ર-30 કલાક સુધી શ્રી લોહાણા મહાજનવાડી, પંચેશ્ર્વર ટાવર, જામનગર ખાતે રાખવામાં આવેલ છે.

ભગવાનશ્રી રામચંજી પ્રાગટય મહોત્સવ પરંપરાગત રીતે ઉજવાય તેવું સુંદર સંયોજન કરવામાં આવેલ છે, તેથી આ મીટીંગમાં લોહાણા જ્ઞાતિના તમામ ભાઈ-બહેનો, યુવાનો, વડીલો, લોહાણા સમાજની વિવિધ સંસ્થાના હોદેદારો સહિત તમામને બહોળી સંખ્યામાં સમયસર ઉપસ્થિત રહેવા શ્રી રામચંજી પ્રાગટય મહોત્સવ સમિતિની યાદીમાં જણાવવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application