એડવોકેટની હત્યાના મામલે જામનગર વકીલ મંડળના હોલમાં બેઠક

  • March 15, 2024 01:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના બેડેશ્ર્વરમાં એડવોકેટની નિર્મમ હત્યા નિપજાવવાના બનાવના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ગઇકાલે તમામ વકીલો અદાલતની કાર્યવાહીથી અલીપ્ત રહયા હતા, હત્યાના બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢી અને આરોપીઓને સત્વરે ઝડપી લઇ કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી. ગઇકાલે કોર્ટ કમ્પાઉન્ડ ખાતે જામનગર બાર એસો.ના પ્રમુખ ભરતભાઇ સુવાની આગેવાની હેઠળ વકીલો એકત્ર થયા હતા અને એડવોકેટની હત્યાના બનાવ સબંધે આક્રોશ ઠાલવીને એક દિવસ કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહયા હતા આજે વકીલ મંડળના હોલમાં બેઠક મળી હતી જેમાં આગામી કાર્યક્રમ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application