રામેશ્વર પાર્કમાં રહેતી ૩૪ વર્ષની પરિણીતાનું હાર્ટ એટેકથી મોત

  • May 30, 2024 03:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના મવડી વિસ્તારમાં આવેલા રામેશ્ર્વર પાર્કમાં રહેતા ૩૪ વર્ષના પરણીતા ઘરે બેભાન થઈ ગયા બાદ તેમણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા અહીં ફરજ પરના તબીબે પરિણીતાને મૃત જાહેર કર્યા હતા. હાર્ટ એટેકથી પરિણીતાનું મોત થયું હોવાનું માલુમ પડું છે. બનાવને લઇ પટેલ પરિવારમાં શોક છવાઈ ગયો હતો.
બનાવવાની જાણવા મળતી વિગતો મુજબ, મવડી વિસ્તારમાં ૮૦ ફુટ રોડ પર સર્વેાદય સ્કૂલ પાસે રામેશ્વર પાર્કમાં રહેતા રીંકલબેન રવિભાઈ ઢોલરીયા(ઉ.વ ૩૪) નામના પરિણીતાની ગઈકાલે બપોરના તબિયત બગડા બાદ તેઓ બેભાન થઈ ગયા હતા. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા અહીં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતા પોલીસે જરી કાર્યવાહી કરી હતી. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, રિંકલબેનનો લગાળો સાત વર્ષનો છે. તેમને સંતાનમાં એક પુત્ર છે. તેમના પતિ રવિભાઈ કારખાનું ધરાવતા હોવાનું માલુમ પડું છે. હાર્ટ એટેકથી રીંકલબેનનું મોત થયું હોય પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.
યારે અન્ય એક બનાવમાં ૧૫૦ ફટ રીંગ રોડ પર રામાપીર ચોકડી પાસે આવેલા શાક્રીનગરમાં રહેતા વર્ષાબેન પરષોત્તમભાઈ ચૌહાણ(ઉ.વ ૫૫) નામના પ્રૌઢા ગઈકાલ સાંજે ઘરે બેભાન થઈ જતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહીં સારવાર કારગત નીવડે તે પૂર્વે પ્રૌઢાનું મોત થયું હતું. વર્ષાબેન ને બ્રેઇન સ્ટ્રોક આવ્યા બાદ છેલ્લા ઘણા સમયથી પથારીવશ હોવાનું માલુમ પડું છે બીમારી સબબ તેમનું મોત થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application