હથિયારના જોરે કરવામાં આવેલાં લગ્ન માન્ય ગણી ન શકાય: હાઈકોર્ટ

  • November 25, 2023 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પટના હાઈકોર્ટે એરેન્જ્ડ મેરેજના એક કેસમાં મહત્વની ટિપ્પણી કરી છે. કોર્ટે જબરદસ્તી લગ્નોને કાનૂની માન્યતા આપવાનો ઇનકાર કરી દીધો છે. હાઈકોર્ટે કહ્યું કે, હથિયારના જોરે કે બળના જોરે કોઈની માંગ ભરવી એ લગ્ન નથી ગણાતા. લગ્ન માટે બંને પક્ષોની સંમતિ જરૂરી છે. કોર્ટે આ નિર્ણય લખીસરાયના 10 વર્ષ જૂના કેસમાં આપ્યો છે. જ્યાં સૈન્યના એક જવાનનું અપહરણ કરીને બંદૂકની અણી પર બળજબરીથી લગ્ન કરવામાં આવ્યા હતા.લખીસરાયના નવાદા જિલ્લાના રહેવાસી રવિકાંતના લગભગ 10 વર્ષ પહેલા બળજબરીથી લગ્ન થયા હતા. રવિકાંત ભારતીય સેનામાં સૈનિક છે. તે લખીસરાયના એક મંદિરમાં દર્શન કરવા ગયો હતો. ત્યારબાદ યુવતીના પરિવારે તેનું અપહરણ કર્યું અને બંદૂકની અણી પર તેની સાથે લગ્ન કરવા દબાણ કર્યું. લગ્નની તમામ વિધિઓ પૂરી થવાની હતી ત્યારે રવિકાંત ત્યાંથી ભાગીને જમ્મુ-કાશ્મીર ડ્યુટી પર ગયો હતો.

આ તરફ જ્યારે તે રજા પર ફરી ઘરે આવ્યો ત્યારે તેણે નવાદાની ફેમિલી કોર્ટમાં યુવતીના પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેણે લગ્ન રદ કરવાની પણ માંગ કરી હતી. જ્યારે નીચલી અદાલતે અરજી ફગાવી દીધી ત્યારે રવિકાંતે હાઈકોર્ટનો સંપર્ક કર્યો. હવે રવિકાંતને રાહત આપતા પટના હાઈકોર્ટે તેના બળજબરીથી લગ્ન રદ કરવાનો નિર્ણય સંભળાવ્યો છે.પોતાના આદેશમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને ટાંકીને હાઈકોર્ટે કહ્યું કે, માત્ર કપાળ પર સિંદૂર લગાવવાથી લગ્ન નથી થતા. હિંદુ રિવાજો અનુસાર સપ્તપદીની વિધિ પણ પૂર્ણ થવી જોઈએ જેમાં વર-ક્ધયા સાત ફેરા લે છે. રવિકાંતના કેસમાં આ વિધિ કરવામાં આવી ન હતી. હાઈકોર્ટે કહ્યું કે, લગ્ન માટે બંને પક્ષોની સંમતિ જરૂરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application