જામનગર પંચકોશી-એના પ્રોહીબીશનના બે ગુનામાં નાસતા ફરતા રાણાવાવના શખ્સને લાલપુર ચોકડી રોડ પરથી એલસીબીની ટુકડીએ ઝડપી લીધો હતો.
જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા એલસીબી ઇન્ચાર્જ પીઆઇ બી.એન. ચૌધરીને સુચના આપેલ હોય જેથી પીએસઆઇ આર.કે. કરમટા, પીએસઆઇ પી.એન. મોરી તથા સ્ટાફના માણસો જામનગર જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન સ્ટાફના સંજયસિંહ વાળા, દિલીપભાઇ તલાવડીયા, હરદીપભાઇ ધાધલ, હિતેન્દ્રસિંહ જાડેજાને મળેલ હકીકત આધારે પંચ-એ ડીવીઝનના પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપી દેવા ઉર્ફે ભુરો જીવા મોરી રહે. દોલતગઢ, રબારી પાડો, તા. રાણાવાવ. જી. પોરબંદરવાળાને લાલપુર ચોકડી પાસે, સમાણા ગામ તરફ જતા રોડ પાસેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફેમિલી મેન 3 ફેમ અભિનેતા રોહિત બાસફોરનું અવસાન
April 29, 2025 12:49 PMકેસરી-2 માં, 16 વર્ષના છોકરાએ અક્ષયને પરસેવો લાવી દીધો
April 29, 2025 12:46 PMપાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપતો દુષ્ટ દેશઃ યુએનમાં ભારતે પાકિસ્તાનની ઝાટકણી કાઢી
April 29, 2025 12:44 PMસલમાનનું સ્તર અલગ, આમીર મજાનો, શાહરૂખ જીદ્દી
April 29, 2025 12:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech