રાજકોટ મનપાની જનરલ બોર્ડમાં તડાફડી, TRP ગેમઝોન અગ્નિકાંડમાં પીડિતોને ન્યાય મુદે રજૂઆત કરતા હોબાળો

  • May 20, 2025 12:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મનપાની જનરલ બોર્ડ મળી હતી, જેની શરૂઆત પહેલગામમાં થયેલા આતંકી હુમલાના મૃતકોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. આ બેઠકમાં ૧૧ નગરસેવકો ગેરહાજર રહ્યા હતા.


વિજિલન્સ સ્ટાફે પોસ્ટર છીનવી લીધા

જનરલ બોર્ડમાં TRP ગેમઝોન અગ્નિકાંડનો મુદ્દો છવાયો હતો. કોંગ્રેસના નગરસેવકો પીડિતોને ન્યાય મળે તે માટે પોસ્ટર લઈને પહોંચ્યા હતા. જોકે, વિજિલન્સના સ્ટાફ દ્વારા તેમના પોસ્ટર છીનવી લેવામાં આવ્યા હતા. કોંગ્રેસે અગાઉ ત્રિકોણ બાગ ખાતે વિરોધ નોંધાવ્યા બાદ જનરલ બોર્ડમાં પ્રવેશ કર્યો હતો.​​​​​​​

ભારે હોબાળો થયો હતો

ચાલુ જનરલ બોર્ડમાં વિપક્ષે મેયરને TRP ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે રજૂઆત કરતા ભારે હોબાળો થયો હતો. આ મુદ્દે શાસક પક્ષ અને વિપક્ષ આમને-સામને આવી ગયા હતા, જેના કારણે વાતાવરણ તંગ બન્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application