પીપાવાવ પોર્ટમાં અજાણ્યા વાહન અડફેટે દિપડીનું મોત

  • December 09, 2023 07:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ નજીક આવેલા પીપાવાવ પોર્ટ પાસે અજાણ્યા વાહન અડફેટે દિપડીનું મોત થયું હતું. પીપાવાપ પોર્ટ વિસ્તારમાં અનેક વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે. અને વાહન અકસ્માતમાં વન્ય પ્રાણીઓનાં મોત થવાની અનેક ઘટનાઓ આગાઉ પણ બની છે. ત્યારે આજે વહેલી સવારે પીપાવાવ પોર્ટ નજીક રોડ પર પસાર થઇ રહેલા અજાણ્યા વાહનની ઠોકરે આવી જતા દીપડીનું મોત નીપજ્યું હતું. પીપાવાવ પોર્ટમાં કસ્ટમ ગેટ રોડ ઉપર વહેલી સવારે આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતા રાજુલા વનવિભાગ ઘટના સ્થળે પહોચી દીપડીનાં મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. જયારે પીપાવાવ પોર્ટના સીસીટીવી વિડિઓ ફૂટેજ સહીતની ચકાસણી કરી અકસ્માત સર્જી નાસી છૂટેલા અજાણ્યા વાહન ચાલકની શોધખોળ સહીતની કાર્યવાહી વનવિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી. 





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application