એમ.પી.શાહ વૃદ્ધાશ્રમ ખાતે વડીલો માટે કાનૂની માર્ગદર્શક સેમિનાર યોજાયો

  • October 04, 2023 11:22 AM 

જામનગર જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી તથા ગુજરાત રાજ્ય સેવા સમિતિના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ


જામનગર જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને ગુજરાત રાજ્ય સેવા સમિતિ દ્વારા જામનગરના એમ.પી.શાહ વૃદ્ધાશ્રમમાં કાનૂની માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવેલ જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી સુરક્ષા સેતુ સોસાયટીના પ્રોજેક્ટ ક્ધસલ્ટન્ટ એચ.બી.ગોહિલ, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના રાજેશ પરમાર, તંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા વગેરેએ ઉપસ્થિત રહી વૃદ્ધાશ્રમના વડીલોને સેમીનારના માધ્યમથી કાનૂની પ્રશ્નો અંગે માર્ગદર્શન આપેલ.વૃદ્ધાશ્રમમાં રહેતા સિનિયર સિટીઝનોને તેઓના સ્વાસ્થ્ય તેમજ મિલ્કત અંગેના વિવાદો વિશે પણ જરી સલાહ તેમજ માહિતી આપી પૂરતું માર્ગદર્શન આપવામાં આવ્યું.આ પ્રસંગે એચ.બી.ગોહિલ દ્વારા સિનિયર સિટીઝનને લગતી દરેક હેલ્પલાઇનની જાણકારી આપવામાં આવી તેમજ તમામ હેલ્પલાઇનનોની સંસ્થામાં ઉપલબ્ધી કરાવવામાં આવી હતી.


આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જામનગર જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી તથા ગુજરાત રાજ્ય સેવા સમિતિના સૌરાષ્ટ્ર અધ્યક્ષ વિશાલભાઈ પોપટ, ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમનું સંચાલન શનિભાઈ સત્રોટિયા તથા દિનેશભાઈ ચુડાસમા દ્વારા તથા આભાર વિધી ક્રિષ્નાબેન ઠક્કર દ્વારા કરવામા આવેલ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application