જામનગર વાલસુરાના જવાનનો સર્વિસ રાયફલમાંથી ફાયરીંગ કરી આપઘાત

  • November 06, 2023 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બનાવ પાછળનું કારણ જાણવા મરીન પોલીસ દ્વારા કરાતી તપાસ

જામનગરના આઇએનએસ વાલસુરા એરીયામાં એક જવાને પોતાની ફરજ પર હાજર હતા ત્યારે સર્વિસ રાયફલથી ફાયરીંગ કરીને આપઘાત કરી લેતા દોડધામ મચી હતી, કયા કારણસર પગલુ ભર્યુ એ દિશામાં બેડી મરીન પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
રાજસ્થાનના ભીલવાડા જીલ્લાના વિવેકાનંદનગરના વતની અને હાલ જામનગર આઇએનએસ વાલસુરા ડીએસસી લાઇન, બ્લોક નં. પી/૨૭૬ ખાતે રહેતા જવાન ઇકબાલ મોહમદખાન કયમખાની (ઉ.વ.૪૭) નામના જવાન ગઇકાલે વાલસુરા એરીયામાં વોચ ટાવર નં. ૯ ખાતે પોતાની ફરજ પર હતા, દરમ્યાનમાં નેવી જવાને કોઇ કારણસર પોતાની પાસે રહેલી સર્વિસ ઇન્સાસ રાયફલ વડે છાતીના ભાગે ફાયરીંગ કરીને આપઘાત કરી લીધો હતો.
આ બનાવની જાણ આઇએનએસ વાલસુરા ત્રિશુલ ડીવીઝન બિલ્ડીંગ ખાતે રહેતા મુળ હરીયાણાના વિજય કરમવીરસીંગ દ્વારા બેડી મરીન પોલીસમાં જાણ કરવામાં આવી હતી જેના આધારે પીએસઆઇ એમ.એલ. ઓડેદરા સહિતની ટુકડી તપાસ માટે દોડી ગઇ હતી, બનાવ સબંધે મૃતક જવાનના વતનમાં જાણ કરવામાં આવી હતી અને કયા કારણસર પગલુ ભર્યુ એ દિશામાં તપાસ ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application