પોલીસ વિરુધ્ધ ફરિયાદ માટે હેલ્પલાઇન નંબર ૧૪૪૪૯ ટૂંક સમયમાં શરૂ કરાશે

  • January 13, 2024 12:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદની ટ્રાફિક પોલીસ દ્રારા કરવામાં આવેલા તોડકાંડને પગલે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી મોટવાણી અરજીમાં રાય સરકારે સોગંદનામુ કયુ છે કે પોલીસ વિદ્ધ ફરિયાદ કરવા માટે રાઉન્ડ કલોક હેલ્પલાઇન શ કરવામાં આવશે અને તેની બહોળી પ્રસિદ્ધિ કરાશે. અમદાવાદ શહેરના કપલ પાસેથી ટ્રાફિક પોલીસ કર્મચારી દ્રારા ૬૦ હજારની ઉધરાવવાના કેસમાં હાઇકોર્ટે કરેલી સુઓમોટો રિટની સુનાવણીમાં રાય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલભાઇ ત્રિવેદીએ ખંડપીઠને જણાવ્યું હતું કે,પોલીસની કોઇ પણ પ્રકારની ગેરવર્તણૂક સામે ફરિયાદ કરવા માટે ફુલલેડ હેલ્પલાઇન નંબર ૧૪૪૪૯ પર કોઇ પણ વ્યકિત કોલ કરીને મદદ મેળવી શકશે. ૧૦૦ નંબરની જેમ આ હેલ્પલાઇન રાઉન્ડ ધી કલોક કામ કરશે.

આ નવો નંબર એકિટવેટ કરીને એની બહોળી પ્રસિદ્ધિ કરાશે. હાઇકોર્ટે કેસની સુનાવણી ૧૬મી ફેબ્રુઆરીના રોજ રાખવામાં આવી છે.ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને શહેરના ટ્રાફિક પોલીસમાં આદેશમાં નોંધ્યું હતું કે, પોલીસની જસ્ટિસ અનિદ્ધ પી. માયીની ખંડપીઠે ગેરવર્તણૂકની ફરિયાદ કરવા સરકારે ડેડિકેટેડ હેલ્પલાઇન નંબર ૧૪૪૪૯નો પ્રસ્તાવ મૂકયા છે. જેને સરકાર ટૂંક સમયમાં જ એકિટવેટેડ(શ) કરીને એની બહોળું પ્રસિદ્ધિ કરશે. તે સિવાય વિવિધ નેશનલ હેલ્પલાઇન નંબરોની લિસ્ટ પણ કોર્ટ મિત્ર દ્રારા રજૂ કરવામાં આવી છે. કોર્ટ મિત્રનું કહેવું છે કે આ તમામ નંબરોનું પણ બહોળો પ્રચાર પ્રસાર થવું જોઇએ.

 કેસની સુનાવણીમાં કોર્ટ મિત્ર દ્રારા એવી રજૂઆત કરાઈ હતી કે, આ નંબર ઝડપથી કોઇ વ્યકિતના મગજમાં ઉતરી જાય એવો નથી. કોઇ સરળ નંબર હોય તો ઝડપથી નાગરિકોને યાદ રહી શકે. સરકારે કહ્યું હતું કે નંબરની ફાળવણી કેન્દ્ર સરકારના હાથમાં હોવાથી અને આ નંબર ઉપલબ્ધ હોવાથી આપવામાં આવ્યો છે. એટલું જ નહીં, આ નંબરથી આ સમગ્ર ઘટનાની હકીકત એવી છે કે, બોપલના એક વેપારી પરિવાર વિદેશ પ્રવાસ બાદ અમદાવાદ એરપોર્ટ ઉતર્યા હતા. ત્યાંથી કેબમાં બેસીને ઘરે જતા હતા ત્યારે ટ્રાફિક પોલીસ કર્મીઓએ કાર રોકીને વેપારીને ડ્રાઇવર ચાલતી હોવાથી જેલમાં પૂરવાની ધમકી આપી બે લાખની માગણી કરી .૬૦ હજાર પડાવી લીધા હતા.
 ચોંકાવનારી બાબત એ છે કે, કેબમાંથી વેપારીને ઉતારી પોલીસ વાનમાં બેસાડી દીધા હતા અને કેબમાં બેઠેલી તેમની પત્ની અને એક વર્ષના બાળક સાથે પોલીસ કર્મી બેસી ગયો હતો. ફરિયાદીનો આક્ષેપ છે કે, આ પોલીસ કર્મીએ બાળકને માતા દ્રારા ફિડિંગ પણ ન કરાવવા દઇ અમાનવીય વર્તન કયુ હતું. જે મામલે હાઇકોર્ટે સુઓમોટો કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application