રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સીટી બસ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક મૃતકને વ્યક્તિદીઠ રૂ.૧૫ લાખની સહાય તેમજ ચાર ઇજાગ્રસ્તોને વ્યક્તિદીઠ રૂ.બે લાખની સહાય આપવાની મહત્વપૂર્ણ જાહેરાત આજે બપોરે પદાધિકારીઓ તેમજ ધારાસભ્યો સાથેની બેઠક બાદ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા કરવામાં આવી હતી.
અકસ્માતમાં ચાર લોકોના મોત નીપજ્યા
રાજકોટમાં આજે તા.૧૬-૪-૨૦૨૫ના રોજ સવારે ૯:૫૧ વાગ્યે ઇન્દીરા સર્કલ પાસે, ૧૫૦ ફૂટ રિંગ રોડ ખાતે સિટી બસ નં.જીજે-૦૩ બીઝેડ ૦૪૬૬થી જે દુર્ઘટના બની તેમાં ચાર લોકોના મૃત્યુ નીપજેલ છે, જેમાં મૃતકોમાં (૧) રાજકોટ મહાનગરપાલિકાના ઓડીટ શાખાના કર્મચારી રાજુભાઇ મનુભાઇ ગીડા, ઉં.વ.૩૫, (૨) સંગીતાબેન ધનરાજભાઈ ચૌધરી, ઉં.વ. ૪૦, (૩) બાલો ઉર્ફે ચિન્મયભાઈ હર્ષદભાઇ ભટ્ટ, ઉં.વ.૨૫, (૪) કિરણબેન ચંદ્રેશભાઇ કક્કડ, ઉં.વ.૫૬નો સમાવેશ થાય છે. જયારે ચાર લોકોને ઈજા પહોંચી છે. જેમાં (૧) વિશાલ રાજેશભાઈ મકવાણા, ઉં.વ.૨૮, (૨) સુરજ ધર્મેશ, ઉ.વ. ૪૨, (૩) સાનિયાબેન અજયભાઈ રાજબર, ઉં.વ.-૧૭ અને (૪) વિરાજબા મહાવીરસિંહ ખાચર, ઉં.વ.૭નો સમાવેશ થાય છે.
સહાય તત્કાલિક અસરથી આપવામાં આવશે
આ દુર્ઘટનાને અત્યંત આઘાતજનક ગણાવતા રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્યુનિ.કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને દંડક મનીષભાઈ રાડિયાએ જણાવ્યું હતું કે, આ કરુણ ઘટનામાં ઉદાહરણરૂપ કડક કાર્યવાહી કરવામાં આવશે. પ્રત્યેક મૃતકના પરિવારજનોને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પંદર-પંદર લાખ રૂપિયાની સહાય તેમજ ઈજાગ્રસ્તોને બે-બે લાખ રૂપિયાની સહાય તત્કાલિક અસરથી આપવામાં આવશે.
મહાનગરપાલિકાના અધિકારીઓ ઘટનાસ્થળે જતા ટોળું વધુ વિફર્યું
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સીટી બસ સેવા અંતર્ગત છેલ્લા ચાર મહિનામાં આજે ચોથો અને સૌથી ગંભીર અકસ્માત સર્જાયો હતો. દરમિયાન બનાવની જાણ થતા ડેપ્યુટી કમિશનર, સીટી એન્જિનિયર, સિટી બસ સેવાના જનરલ મેનેજર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા જોકે તેમને જોઈને ટોળું વધુ વિફર્યું હતું. આથી બનાવની પ્રાથમિક જાણકારી મેળવીને તેઓ તુરંત જ ત્યાંથી રવાના થઈ ગયા હોવાનું જાણવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech