ઉપલેટામાં સ્વ.વિઠ્ઠલભાઇ રાદડિયાની સ્મૃતિમાં મહા રકતદાન કેમ્પ યોજાયો

  • July 30, 2024 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખેડૂતોના મસીહા અને આમ જનતાના વફાદાર પ્રતિનિધિ સ્વ.વિઠ્ઠલભાઇ રાદડિયાની ૫મી પુણ્યતિથિ નિમિતે લેઉવા પટેલ સમાજ ભવનમાં સહકારી પરિવાર અને પટેલ સેવા સમાજ દ્વારા મહારકતદાન કેમ્પ યોજાયો હતો. તેમાં બહોળી સંખ્યામાં લોકોએ જોડાઇને રકતદાન કર્યું હતું.


આ રકતદાન કેમ્પ રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલના હસ્તે દિપ પ્રાગટય કરી ખુલ્લ ો મુકાયો હતો તેમજ ૩૫૦ બોટલથી વધુ રકત એકત્ર થયું હતું. આ કાર્યક્રમમાં આરડીસી બેન્કના ડિરેકટર હરિભાઇ ઠુંમર,  નરસિંહભાઇ મુંગલપરા, ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઇ પાડલિયા, પૂર્વ ધારાસભ્ય છગનભાઇ સોજીત્રા સંઘના પ્રમુખ ધી‚ભાઇ પાદરિયા, ઉપપ્રમુખ લક્ષ્મણભાઇ શેઠ, શહેર ભાજપના પ્રમુખ કિરીટભાઇ પાદરિયા, મહામંત્રી મહાવિરસિંહ વાળા, જીજ્ઞેશભાઇ ડેર, સ્કૂલ બોર્ડના ચેરમેન નિકુલભાઇ ચંદ્રવાડિયા, વાઇસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજા, ક્ષત્રિય સમાજના પ્રમુખ હરપાલસિંહ જાડેજા, લેઉવા પટેલ સમાજના મંત્રી દામજીભાઇ રામાણી, રાજશીભાઇ હુંબલ, સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ જીજ્ઞેશભાઇ વ્યાસ, પૂર્વ નગરપતિ દાનભાઇ ચંદ્રવાડીયા, પૂર્વ ભાજપના પ્રમુખ અને કેમ્પના આયોજક ઉત્તમભાઇ ઠુંમર, જસ્મીનભાઇ વસોયા, હરસુખભાઇ સોજીત્રા, સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. આ કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application