ખંભાળિયા તાલુકાના નાના આંબલા ગામે રહેતા આબેદાબેન ભીખુભાઈ સુલેમાનભાઈ ગજણ નામના ૩૧ વર્ષના પરિણીત મહિલાએ ગઈકાલે મંગળવારે સવારના સમયે પોતાના ઘરે કોઈ અકળ કારણોસર પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ લેતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું.
મૃતક મહિલાનો લગ્ન ગાળો દસ વર્ષનો હતો. આ અંગેની જાણ મૃતકના માતા ખમીશાબેન દાઉદભાઈ સંઘાર (ઉ.વ. ૬૫) એ વાડીનાર મરીન પોલીસને કરી છે.
**
નપાણીયા ખીજડીયામાં શ્રમિક યુવાનનું લપસી જતાં ઈજાથી મૃત્યુ
કાલાવડ તાલુકાના નાપાણિયા ખીજડીયા ગામમાં રહેતા એક શ્રમિક યુવાનને પાણીની કુંડીમા ન્હાવા જતી વખતે સેવાળના કારણે પગ લપસી જતાં નીચે પટકાઈ પડવાથી માથામાં ઇજા થવાથી મૃત્યુ નીપજયું છે.
મૂળ ગોધરા જિલ્લાના મોરવા હળફ તાલુકાના ખુદરા ગામના વતની અને હાલ કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામના ખેડૂત લાલાભાઇ આણંદભાઈ અકબરીની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા દલપતભાઈ ભોદુભાઈ માલીવાડ નામના ૨૩ વર્ષના શ્રમિક યુવાનને ગઈકાલે પોતાની વાડીમાં પાણીની કુંડીમાં નાહવા જતી વખતે અકસ્માત નડ્યો હતો.
પાણીની કુંડીમાં સેવાળ જામી ગયો હોવાથી તેનો પગ લપસી ગયો હતો, અને નીચે પડી જવાથી તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. તેથી તેને સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઇ જવાયો હતો, ત્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પિતા ભોદુભાઈ મેઘાભાઈ માલીવાડે પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'હવે શરૂ થશે પરિવર્તન', જાણો બ્રિટનના નવા PM કીર સ્ટારમેરના ભાષણની કેમ થઈ રહી છે ચર્ચા
July 05, 2024 11:13 PMઆકાશમાં ઉડતી લક્ઝરી હોટેલ, જિમ અને સ્વિમિંગ પૂલથી લઈને રેસ્ટોરન્ટ સુધીની છે સુવિધાઓ
July 05, 2024 11:12 PMઅંતરિક્ષથી પૃથ્વીની સૌથી નજીકની જગ્યા, અહીનું મૌન પણ લાગે છે ભયાનક
July 05, 2024 11:11 PM557 બાળકોનો પિતા છે એક વ્યક્તિ, પૂરી દુનિયામાં ફેલાયેલા છે તેના બાળકો
July 05, 2024 11:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech