જામનગર એડીબલ ઓઇલ ડીલર્સ એસોસીએશનનું સ્નેહમિલન યોજાયું

  • December 16, 2023 10:36 AM 

જામનગર એડીબલ ઓઇલ ડીલર્સ એસોશિએશન દ્વારા પ્રથમવાર સ્નેહ મિલન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓઇલ ડીલર્સ, મેન્યુફેકચર, ટ્રેડર એ ભાગ લીધેલ હતો. સૌપ્રથમ સ્વાગત પ્રવચન જામનગર એડીબલ ઓઇલ ડીલર્સ એસોશિએશન ના પ્રમુખશ્રી લહેરીભાઇ રાયઠઠા દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહમનોનું પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવેલ હતું. કાર્યક્રમ ના મુખ્ય મહેમાન અને સ્પોન્સરશ્રી હિમાંશુભાઈ દોમડિયા રહ્યા હતા. તેમને કાર્યક્રમનો પ્રાસંગિક પ્રવચન આપેલ હતું.


ત્યારબાદ માર્કેટ એનાલિશિસના વક્તાનો પરિચય મંત્રી પરાગભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ માર્કેટ એનાલિશિસ VHS GLOBAL વિષે માર્ગદર્શનના વક્તા વ્રજેશભાઈ શાહ એ વલ્ડ વાઈડ તેલના ખરીદ-વેચાણ, આયાત-નિકાસ ની જાણકારી આપી હતી. પામ ઓઇલ, કપાસિયા, સીંગતેલ, સનફ્લાવર્સ જેવી તમામ તેલ ની આંકડાકીય માહિતી પ્રેઝેટેશન દ્વારા પૂરી પાડેલ હતી. સાથો સાથે તેલ ના ફાયદા પણ જણાવ્યા હતા. ત્યારબાદ જામનગર એડીબલ ઓઇલ ડીલર્સ એસોશિએશનના ઉપપ્રમુખ અભયભાઇ ફોફરીયા દ્વારા આભાર દર્શન કરવામાં આવેલ હતું. કયક્રમ નું સંચાલન કલ્પેશભાઇ કોટેચા અને વૈશાલીબેન બરછા દ્વારા કરવામાં આવેલ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application