ઓખા નજીકના મધદરિયે ઉનાના માછીમારનું હાર્ટ એટેકથી મોત

  • September 18, 2024 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં રહેતા મનસુખભાઈ મેઘાભાઈ સોલંકી નામના 44 વર્ષના માછીમાર યુવાનને સોમવારે ઓખા નજીકના દરિયામાં બોટમાં હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેની નોંધ હેમલભાઈ બાંભણિયા (ઉ.વ. 25, રહે. દિવ દમણ) એ ઓખા મરીન પોલીસને કરાવી છે.


દ્વારકામાં વૃદ્ધ મહિલાએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો

દ્વારકામાં રેલવે સ્ટેશન રોડ પર વિજય ઓઈલ મીલ પાસે રહેતા અજુબેન દેવશીભાઈ આંબાભાઈ વાલવા નામના 80 વર્ષના મહિલાએ કોઈ અકળ કારણોસર સોમવારે મધ્યરાત્રિના સમયે પોતાના ઘરે હૂકમાં સાડી બાંધીને ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. આ બનાવ અંગેની જાણ મૃતકના પુત્ર અશોકભાઈ દેવશીભાઈ વાલવા (ઉ.વ. 49)એ દ્વારકા પોલીસને કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application