Taj Express Fire: દિલ્હીમાં તાજ એક્સપ્રેસ ટ્રેનમાં લાગી ભીષણ આગ, મુસાફરો કૂદીને ભાગ્યા

  • June 03, 2024 08:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિલ્હીના સરિતા વિહાર વિસ્તારમાં પેસેન્જર ટ્રેનના કોચમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટના સાંજે 4.24 કલાકે બની હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લીધી હતી. આગના કારણે કોઈ જાનહાનિના અહેવાલ નથી. ટ્રેન ઝાંસી જવા નીકળી હતી.


ત્રણ કોચમાં લાગી હતી આગ

ડીસીપી રેલ્વેએ જણાવ્યું કે ટ્રેનમાં આગની માહિતી પીસીઆરને સાંજે 4.41 કલાકે મળી હતી. આ ટ્રેન દિલ્હી-આગ્રા વચ્ચે ચાલે છે. ઓખલા રેલવે સ્ટેશન પહેલા ટ્રેનમાં આગ લાગી હતી. આગ લાગ્યા બાદ ટ્રેનને રોકી દેવામાં આવી હતી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી, કારણ કે કોચમાં બેઠેલા મુસાફરો અન્ય કોચમાં ખસી ગયા હતા અથવા નીચે ઉતરી ગયા હતા. રેલવે દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.


પ્રથમ આગ D3 કોચમાં લાગી

જ્યારે ટ્રેન હરકેશ નગર પાસે પહોંચી ત્યારે ટ્રેનના D3 કોચમાં અચાનક આગ લાગી હતી. આ દરમિયાન કોચની અંદર 15 થી 20 મુસાફરો બેઠા હતા. જ્યારે મુસાફરોએ ટ્રેનની અંદર આગ જોઈ તો તેમણે ચેઈન ખેંચીને ટ્રેનને રોકી હતી. આ પછી એક પછી એક તમામ મુસાફરો નીચે ઉતરી ગયા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application