કાલાવડના ઉમરાળા ગામે ખેડૂતને હાર્ટ એટેક આવી જતાં અપમૃત્યુ

  • December 08, 2023 10:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાલાવડના ઉમરાળા ગામે ખેડૂતને હાર્ટ એટેક આવી જતાં અપમૃત્યુ

 જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ઉમરાળા ગામમાં રહેતા એક ખેડૂતને ગઈકાલે પોતાની વાડીમાં ચાલુ ખેતી કામ દરમિયાન હાર્ટ એટેક આવી ગયો હતો, અને તેનું મૃત્યુ નીપજયું છે.

 આ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના ઉમરાળા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા રમેશભાઈ નારણભાઈ ભંડેરી (ઉંમર વર્ષ ૫૬) કે જેઓ ગઈકાલે સવારે પોતાની વાડીમાં ખેતી કામ કરી રહ્યા હતા, જે દરમિયાન તેઓને એકાએક છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો, અને બે શુદ્ધ બન્યા હતા.
 જેથી પરિવારજનો દ્વારા તેઓને સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, ત્યાં ફરજ પરના તબીબે તેઓને હાર્ટ એટેક આવી ગયો હોવાથી મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું.

આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ ઉપેન્દ્રભાઈ નારણભાઈ ભંડેરીએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલિસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application