ભાવનગર એસઓજી એ જિલ્લાના ભૂતિયા અને મોટી રાજસ્થળી ગામેથી કોઈપણ જાતની લાયકાત વગર દવાખાનું ખોલી લોકોના આરોગ્ય સાથે છેડા કરતા બે નકલી તબીબ ઝડપી લઈ બન્ને સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ભાવનગર એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.યુ.સુનેસરાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસે ૨ જેટલી ટીમો બનાવી જિલ્લામાં નકલી તબીબો સામે કાર્યવાહી કરવા આપેલી સુચનાના પગલે શિહોર તાલુકાના ભુતીયા ગામમાં મેહુલ કરશનભાઇ યાદવ (ઉ.વ.૨૭ રહે. ભુડરખા તા.પાલીતાણા જિ.ભાવનગર) ધોરણ ૧૨ સુધી અભ્યાસ કરેલ તેમજ તબીબ ન હોવા છતા તબીબ તરીકે દવાખાનુ ખોલી, વગર ડીગ્રીએ મેડીકલ પ્રેકટીસ કરી જુદી-જુદી એલોપેથીક દવાઓ તથા મેડીકલ સાધનો સહિત કિ.રૂા.૫,૦૯૬ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેની સામે મેડીકલ પ્રેકટીશનર એકટ મુજબની કાયદેસર કાર્યવાહી કરી એસ.ઓ.જી.ના પોલીસ કોન્સ.મહિપાલસિંહ ગોહિલએ સોનગઢ પોલીસ મથકમાં ફરિયાદ આપી ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.
જયારે પાલીતાણા તાલુકાના મોટી રાજસ્થળી ગામમાં જેન્તી પાલજીભાઇ રાઠોડ (ઉ.વ.૪૪ રહે.જામવાળી તા.પાલીતાણા જિ.ભાવનગર)ને ધોરણ ૮ સુધી અભ્યાસ કરેલ અને તબીબ ન હોવા છતા તબીબ તરીકે પોતાના રહેણાંકી વાળા મકાનમાં દવાખાનુ ખોલી, વગર ડીગ્રીએ મેડીકલ પ્રેકટીસ કરી જુદી-જુદી એલોપેથીક દવાઓ તથા મેડીકલ સાધનો સહિત કિ.રૂા.૨,૩૧૧ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેની સામે પણ મેડીકલ પ્રેકટીશનર એકટ મુજબની કાયદેસર કાર્યવાહી કરી એસ.ઓ.જી.ના પોલીસ કોન્સ. મિનાજભાઇ ગોરીએ પાલીતાણા ટાઉન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવવા તજવીજ હાથ ધરી હતી.
આ કામગીરીમાં પોલીસ સ્ટાફ- એસ.ઓ.જી.ના ઈં/ઈ પોલીસ ઇન્સપેકટર ડી.યુ.સુનેસરા અને ટીમના એ.એસ.આઇ, મહાવીરસિંહ ગોહિલ, મિતેષભાઇ જોષી તથા હેડ કોન્સ. રાધવેન્દ્રસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. મહિપાલસિંહ ગોહિલ,તેમજ ટીમ રના એ.એસ.આઇ વિઠ્ઠલભાઇ ચૌહાણ તથા પો.કોન્સ. મિનાઝભાઇ ગોરી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, હરપાલસિંહ ગોહિલ, પાર્થભાઈ ધોળકીયા અને ડ્રા. પો.કોન્સ. પ્રતાપસિંહ પરમાર સહિતના જોડાયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech