શાસ્ત્રીનગરની પરિણીતાના આપઘાતમાં પતિ અને સાસરિયા સામે ગુનો નોંધાયો

  • September 27, 2023 04:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા શાક્રીનગરમાં રહેતી પરિણીતાએ લના આઠ માસ બાદ જ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે મામલે પરિણીતાના પિતાની ફરિયાદ પરથી તેણીના પતિ, સાસુ અને જેઠ સામે આપઘાતની ફરજ પાડવા અંગેનો યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.જાણવા મળતી વિગતો મુજબ, શાક્રીનગર શેરી નંબર ૭ માં રહેતા રીક્ષા ચાલક ઘુસાભાઈ પુનાભાઈ ભુંડિયા(ઉ.વ ૫૨) દ્રારા યુનિવર્સિટી પોલીસ મથકમાં દીકરીના પતિ રાજ ગમારા, સાસુ હંસાબેન અને જેઠ સાગર સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને ત્રણ પુત્રી છે જે પૈકી નાની મિતલ ઉર્ફે મધુ (ઉ.વ ૨૨) ના આઠેક માસ પહેલા મિનરલ વોટરનો ધંધો કરનાર રાજ સાથે લગ્ન થયા હતા.


ગત તારીખ ૨૧ ના તેમને તથા તેમની પત્ની જશુબેનને રાણપુર ગામે લોકિક કામે જવાનું હતું. જેથી મિતલ ઘરે રોકાઈ હતી ત્યારબાદ તારીખ ૨૪ ના મીતલે પતિ તેને બોલાવતો હોય તેમ કહી ચાલી ગઈ હતી ત્યારબાદ દીકરીએ ગળાફાંસો ખાઈ લીધો હતો. આપઘાત પૂર્વે દીકરીએ જણાવ્યું હતું કે, રાજ અન્ય યુવતીઓ સાથે વાતો કરતો હોય અને તે યુવતી સાથેના સંબધં હોય જેની જાણ મને થતા રાજ પરેશાન કરી ત્રાસ આપે છે. માતાને પણ પતિ હેરાન કરતો હોવાની વાત કરી હતી ગત સાતમ આઠમના તહેવારમાં મારકૂટ કરી હોવાનું પણ કહ્યું હતું તેમજ સાસુ પણ બહાર ઘર બહાર જવા બાબતે મેણાટોણા મારતા હતા અને જેઠ સાગર પણ પતિની ઉશ્કેરણી કરતો હતો. આમ સાસરિયાના ત્રાસથી કંટાળી દીકરી આપઘાત કર્યેા હોવાની આ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે યુવતીના પિતાની ફરિયાદ પરથી આરોપીઓ સામે આઇપીસી ની કલમ ૩૦૬ મુજબ જરી કાર્યવાહી કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application