સાધના કોલોની પાસેની કેનાલ તેમજ ગુરુદ્વારાની કેનાલમાં ફસાયેલી એક ગાય અને એક વાછરડીને બચાવી લેવાઇ

  • July 24, 2023 12:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં રવિવારે ચાલુ વરસાદ દરમિયાન સાધના કોલોનીની કેનાલમાં એક ગાય ખાબકી હતી, જ્યારે ગુરુદ્વારા પાસેની કેનાલમાં એક વાછરડી પડી ગઈ હતી. જે બંનેને સહી સલામત રીતે બહાર કાઢી લેવાઇ છે.
 જામનગરમાં સાધના કોલોની વિસ્તાર માં થી પસાર થતી તળાવ સુધીની કેનાલમાં રવિવારે સાંજે એક ગાય પડી ગઈ હતી. જે અંગેની જાણકારી મળતાં આસપાસના રહેવાસીઓએ એકત્ર થઈને દોરડા વગેરેની મદદથી ગાયને સહી સલામત રીતે બહાર કાઢીને બચાવી લીધી હતી. તે જ રીતે જામનગરમાં ગુરુદ્વારા નજીકની કેનાલમાં પણ એક વાછરડી રવિવારે સાંજે પડી ગઈ હતી. જે અંગેની જાણકારી મળતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટુકડીએ દોડી જઈ વાછરડી ને સહી સલામત રીતે બહાર ખેંચી લીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application