મલાવીના ઉપરાષ્ટ્રપતિનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. તેમના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે આ કાફલામાં સામેલ એક વાહનનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. અને 12 લોકો ઘાયલ થયા છે. ભીડથી બચવાનો પ્રયાસ કરતાં વાહન ભીડમાં ઘૂસી ગયું હતું અને આ ઘટના સર્જાઈ હતી.
મલાવીના વાઇસ પ્રેસિડેન્ટ સાઉલોસ ચિલિમાનું ગત અઠવાડિયે પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું હતું. તેની સાથે અન્ય 9 લોકો પણ માયર્િ ગયા હતા. આ વાહન તેમના નશ્વર અવશેષોને લઈ જતા કાફલામાં સામેલ હતું ત્યારે ઉપરાષ્ટ્રપતિની ઝલક મેળવવા બેતાબ લોકો તેમના દર્શન માટે ભેગા થયા હતા ત્યારે ઉમટેલી ભીડમાં મધ્ય માલાવીના નેત્ચાઉ ગામમાં આ વાહન ભીડમાં ઘૂસી ગયું.સોલોસ ચિલીમાના મૃતદેહને સોમવારે અંતિમ સંસ્કાર પહેલા તેના ગામ નસિપ્પે લઈ જવામાં આવી રહ્યો હતો. કાફલામાં કાર, અન્ય સૈન્ય, પોલીસ અને નાગરિક વાહનો સામેલ હતા. તેમનું ગામ રાજધાની લિલોંગવેથી 180 કિલોમીટર દક્ષિણમાં છે. તેમના અવસાન પર જાહેર રજા જાહેર કરવામાં આવી છે.
ભીડથી દૂર જવાનો પ્રયાસ કરતી વખતે અકસ્માત થયો હતો
પોલીસ પ્રવક્તા પીટર કાલાયાએ જણાવ્યું કે અન્ય 12 લોકો ઘાયલ થયા છે. ઉપરાષ્ટ્રપતિની ઝલક મેળવવા માટે હજારો લોકો રસ્તાઓ પર ઉભા હતા. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે વાહન તેનાથી દૂર જવાનો પ્રયાસ કરતી વખતે ભીડમાં ઘૂસી ગયું હતું. ચિલિમાના પક્ષના પ્રવક્તા ફેલિક્સ નજાવાલાએ જણાવ્યું હતું કે માર્ગમાં કેટલીક જગ્યાએ તણાવ હતો. કારણ કે શોકાતુર લોકો ઇચ્છતા હતા કે સરઘસ અટકાવવામાં આવે જેથી તેઓ શબપેટી જોઈ શકે.ત્યારે આ ઘટના બની હતી. ઘાયલો ને તાબડતોબ સારવાર માટે ખસેડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech