પતંગ પકડવા ગયેલા બાળકને વીજ કરંટ લાગતા કરુણ મૃત્યુ

  • September 12, 2023 12:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સલાયાનો બનાવ

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે જીન વિસ્તારમાં રહેતા અને વહાણવટીના વ્યવસાય સાથે સંકળાયેલા ઈમરાનભાઈ હારુનભાઈ મોગલ નામના મુસ્લિમ ભડાલા યુવાનનો 7 વર્ષનો પુત્ર જમીલએ રવિવારે તેના ઘરના રવેશમાં પતંગ પકડવા માટે લોખંડનો સળિયા લંબાવતા આ સળીયો નજીકના વીજપોલ પરના તારને અડકી ગયો હતો. જેના કારણે જમીલને જોરદાર વિજ કરંટ લાગતા તેને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ જમીલના પિતા ઈમરાનભાઈ મોગલે સલાયા મરીન પોલીસને કરી છે. માસુમ બાળકના અપમૃત્યુના આ બનાવે મૃતકના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application