TATની પરીક્ષા પદ્ધતિમાં કરાયો બદલાવ, પ્રથમ પરીક્ષા પાસ કરનારને જ બીજી પરીક્ષામાં મળશે પ્રવેશ

  • April 30, 2023 12:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શિક્ષણ વિભાગ દ્વારા TATની પરીક્ષાની પદ્ધતિમાં બદલાવ કરવામાં આવ્યો છે. જેમાં હવે પ્રથમ પરીક્ષા પાસ કરનારને જ બીજી પરીક્ષામાં પ્રવેશ મળશે. TATની પરીક્ષા દ્વિસ્તરીય પદ્ધતિથી લેવામાં આવશે.


શિક્ષક બનવા માટેની મહત્વની ગણાતી TAT ની પરીક્ષાની પદ્ધતિમાં બદલાવ કરવામાં આવ્યો છે. જેમાં TAT ની પરીક્ષા હવે દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ રહેશે. ત્યારે TAT ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફારને લઈને શિક્ષણ વિભાગે પરિપત્ર પણ જાહેર કર્યો છે.


શિક્ષણ વિભાગ દ્વારા TAT ની પરીક્ષા પદ્ધતિમાં બદલાવને લઈને એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે પ્રથમ પરીક્ષા પાસ કરનારને જ બીજી પરીક્ષામાં પ્રવેશ મળશે. TAT ની પરીક્ષા પદ્ધતિ હવે દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ રહેશે. જેમાં પહેલી પરીક્ષા વૈકલ્પિક પ્રશ્નોની રહેશે. જ્યારે બીજી પરીક્ષા વર્ણાનાત્મક રહેશે. શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની ગુણવત્તામાં વધારો કરવા માટે આ પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 











લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application